South Gujarat

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત એમ.પી.કાપડિયા વિદ્યામંદિર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત એમ.પી.કાપડિયા વિદ્યામંદિર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ:

કમલેશ ગાંવિત, વાંસદા: ગતરોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત એમ.પી. કાપડિયા વિદ્યામંદિર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને લગતાં વેશભૂષા તેમજ આદિવાસી નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. ભજનો, વકતવ્ય રજુ કરવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ આ કાર્યક્રમમાં ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો શાળાના બાળકો સમક્ષ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા, રીતભાત ઉજાગર કરવામાં આવ્યા હતાં. અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા પણ આદિવાસી ગીત તેમજ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે શાળાના ડાયરેકટર શ્રી કિશોર પટેલ તેમજ પ્રાથમિક શાળા આચાર્ય હિમ્મત ચૌહાણ, માધ્યમિક વિભાગનાં આચાર્ય મણીલાલ પટેલ, સંસ્થાના ભાવેશભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બરૂમાળ બી.એડ.કોલેજ થી ઇન્ટનશિપ માટે પધારેલ બહેનોએ આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button