ડાંગ જિલ્લામાં માણસમાંથી માનવતા મરી પરવારીનો જીવંત દાખલો જોવા મળ્યો..!
જીવતી ગાયને મરવા માટે જંગલમાં તરછોડી ગયા, પશુ પ્રેમીઓમાં રોષ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં માણસમાંથી માનવતા મરી પરવારીનો જીવંત દાખલો જોવા મળ્યો..!
જીવતી ગાયને મરવા માટે જંગલમાં તરછોડી ગયા, પશુ પ્રેમીઓમાં રોષ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા જંગલ વિસ્તારમાં આવેલ ધુલદા ફાટક પાસે નદી કિનારે એક જીવતી ગાય કોઈ પશુપાલક કે કોઈ ઈસમ દ્વારા મુકી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધુલદા ગામનાં પશુપ્રેમી યુવાનોએ ગાય માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી સેવાયજ્ઞ આરંભ કર્યો છે. પશુપ્રેમી યુવાનોએ નજીકથી નિરીક્ષણ કરતા ગાય ચાલી શકે તેવી હાલત ન હતી.
ગાય માતાને કોણ મુકી ગયુ તેની તપાસ કરતાં ખબર પડી કે, કોઈક પીકઅપ વાનમાં લાવી અજાણ્યા ઈસમ દ્વારા જંગલમાં તરછોડી દેવાઈ છે. ગાયમાતા ખૂબજ ઘરડી ઉંમર લાયક જોવા મળી રહી છે અને હાલ જીવતી છે. તેમ છતાં મરવા માટે જંગલમાં મૂકી ગયા. કોઈ નિર્દય નિર્લજ્જ માનવતા હીન જ આવું અપકૃત્ય કરી શકે તેમ લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ગાય કોણ ફેંકી ગયું છે તે તપાસ કરતા ખબર પડી જ જશે, કારણ કે ગાયમાતાના કાનમાં માલીકીની મિલકત ધરાવતો બિલ્લો છે. મતલબ ગાય પર બેંક લોન કરેલી છે. આ બિલ્લા નંબર પરથી ગાય કોની છે તે ખબર પડી જ જશે.
જીવતી ગાયને મરવા માટે નાખી જનાર પર કાનૂની પગલાં જરૂરી છે. જેથી એવી હરક્ત ભવિષ્યમાં કોઈ ના કરે.