Dang

આહવા DGVCL ના અધિકારીઓ મનમાની કરવામાં મસ્ત:

ગરીબ આદિવાસી ખેડૂતને ન્યાય મળે માટે અહેવાલ છાપામાં પ્રકાશિત થયો છતાં અધિકારીઓએ ન્યાય ન આપ્યો, તેમને કોઈનો ડર નથી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આહવા DGVCL ના અધિકારીઓ મનમાની કરવામાં મસ્ત:

ગરીબ આદિવાસી ખેડૂતને ન્યાય મળે માટે અહેવાલ છાપામાં પ્રકાશિત થયો છતાં અધિકારીઓએ ન્યાય ન આપ્યો, તેમને કોઈનો ડર નથી

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં ખેડૂત સાથે અજીબો ગરીબ ઘટના બની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડૂતના વીજ ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી ધાતુની થયેલી ચોરીની ફરિયાદ DGVCL વિભાગ આહવાને કરી છતાં આજદિન સુધી કોઈ ઉકેલ નથી. DGVCL આહવાના અધિકારીઓને પોતાના કર્તવ્ય અને ફરજોનું ભાન કોણ કરાવશે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ મહાલપાડા ગામના આદિવાસી ખેડૂત ગોપાળભાઈ દેશમુખે અંદાજે બે વર્ષ પહેલા વીજ કનેક્શન માટે અરજી કરેલ હતી. વીજ કનેકશન ખેડૂતને મળ્યું પરંતુ થોડા જ દિવસોમાં ટ્રાન્સફોર્મરમાંથી ચોરોએ કોપરની ચોરી કરી જતા ખેડૂતે ફરિયાદ તા.૧૦/૦૯/૨૦૨૨ ના રોજ આહવા પોલીસ મથક અને DGVCL વિભાગ આહવાને કરી હતી. ૧ વર્ષ ૨૮૮ દિવસ અરજી કર્યાના થયા છતાં અઘિકારીઓ કોઈ પણ જાતનો સમાધાન કે, ઉકેલ લાવ્યા નથી.

જગતનું પેટ ભરનાર ગરીબ આદિવાસી ખેડૂતોને શું ખબર હોય કે, આ મોટા જાડી ચામડીના અધિકારીઓ બેસી બેસીને ખુરશીઓ જ ગરમ કરતાં હોય. અને ડાંગ જિલ્લાની ગરીબ ભોળી આદિવાસી પ્રજાનું કામ નહિ કરતાં હોય અને હેરાન કરતા હોય.

ખેડૂતે જવાબદાર અધિકારી વહીવટીતંત્રને અરજી કરીને પોતાને ન્યાય મળે તેનાં માટે જાણ તો કરી. પરંતુ તેનો ઉકેલ જવાબદાર અધિકારીઓએ આજ દિન સુધી લાવ્યો નથી. જલ્દી સમસ્યાનો ઉકેલ આવે માટે ગરીબ આદિવાસી ખેડૂતે ઓફિસોમા આંટા ફેરા કરી કરીને પોતાના પગમાંની ચંપલ ઘસી નાખી એટલા આંટા ફેરા કર્યા પરંતુ આ નફ્ફટ અધિકારીઓ ટસથી મસ ન થયા. તેવામાં લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા પ્રેસનો સહારો લીધો તે સમસ્યાને પ્રકાશિત થયાના આજે ૧૩૨ દિવસ થયા. પરંતુ ગરીબ આદિવાસી ખેડૂતને હજી ન્યાય મળ્યો નથી.

ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોને પ્રશ્નો ઉદભવી રહ્યા છે. કે, વહીવટીતંત્ર લોકોની સેવા માટે સરકારે નિમણૂક કર્યા છે કે, સરકારી પગારે મોજ મસ્તી કરવા માટે છે. ડાંગમાં DGVCL વિભાગ આહવાના અધિકારીઓ ડાંગની આદિવાસી ભોળી પ્રજાને હેરાનગતિ કરતાં હોય વારંવાર આંટા ફેરા કરાવીને મનમાની કરતા હોય લોકોનું કામ કરવામાં તેમને આળસ આવતી છે. તેવા આરોપો પણ અધિકારીઓ પર લગાવી રહ્યાં છે.

આદિવાસી ખેડૂતની એક જ માંગ છે. કે, જલદીથી ન્યાય મળે અને ખેતી કરીને પોતાના પરિવારનુ પેટ ભરી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button