મન હોય તો માળવે જવાય ની કહેવત સાર્થક કરતા ડાંગ ના કુમારી સોનલ પવાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
મન હોય તો માળવે જવાય ની કહેવત સાર્થક કરતા ડાંગ ના કુમારી સોનલ પવાર:
રામુ માહલા, ડાંગ: જયારે આપણે મનમાં મક્કમ નિર્ધાર કરીએ છીએ અને સતત પ્રયત્ન ચાલુ રાખીએ છીએ ત્યારે કઠણ પરિસ્થિતિ મા પણ માર્ગ આપોઆપ ખુલી જતાં હોય છે,
કિસ્સો:૧. સામાજિક દાયિત્વ એક પ્રયાસ: સફળતાના પંથે… ડાંગ, આહવા નિવાસી સોનલ પવાર ની કહાની..
ડાંગની આહવા નિવાસી હું કુમારી સોનલ પવાર ૨૦૧૪માં મે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે Physics Department માં M.Sc માં પ્રવેશ લઈ ૨૦૧૬ સુધી ૨ વર્ષ Regular માં અભ્યાસ કર્યો હતો. પરંતુ Sem-l અને Sem-lll માં એમ બે વિષયમાં નાપાસ થઇ હતી.
૨૦૧૭ માં ૬ ટ્રાયલ પુરી થતાં Msc. Semester -l માં પરીક્ષા આપી શકી નહોતી તેથી મારો અભ્યાસ અટકી ગયો હતો. થોડા સમય પસાર તથાં મને ફરી પાછો ભણવાનો વિચાર આવ્યો હતો
૨૦૧૭ માં યુનિવર્સિટીમાં Application આપી વધુ એક તક આપવા માટે વિનંતી કરી હતી.જેનો કોઇ હકારાત્મક ઉત્તર આવ્યો ન હતો. વારંવાર રજુઆત કરી હતી. અને એક તક આપવા માટે રજુઆત કરી હતી. જેનો કોઇ જવાબ મળયો ન હતો. નવેમ્બર ૨૦૨૦ માં યુનિવર્સિટીના એકેડમીક કાઉન્સીલ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે વિધ્યાર્થીઓ નાપાસ થયા હોય અને છ તક પુરી થઇ ગઇ હોય એવા વિધાર્થીઓને વધુ એક તક પરીક્ષા આપવા દેવામાં આવશે. જેના સમાચાર વાંચીને મને પણ એક તક માગવાની ઇચ્છા થઇ અને યુનિવર્સિટીમાં આવ્યા અને તપાસ કરી તો માલુમ પડયું કે છેલ્લા ૧ કે ૨ વર્ષના ગાળામાં જે વિધાર્થીઓ નાપાસ થયા હોય તેમને જ આ એક તક આપવામાં આવશે. અને ડીસેમ્બર-૨૦૨૦ માં ફોર્મ ભરવામાં આવશે તેમ જણાવતા મારી આશા ફળી શકી નહીં.
જાન્યુઆરી, 2021માં ડાંગના સામાજીક કાર્યકર અને જર્નાલીસ્ટ રામુભાઇ માહલા દ્વારા મૂળ ગામ ખાંભલા(સુબીર) ના ડૉ. દીપક ભોયે સાહેબ કે જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના હેડ છે તેમને મારી હકીકત જણાવી હતી.
ડો. દિપક ભોયે સાહેબે મને યુનિવર્સિટી આવવા જણાવ્યું હતું અને Application તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેમના માર્ગદર્શન હેઠળ અરજી તૈયાર કરીને Science Faculty ના Dean ને રજુઆત કરી હતી. જેને ધ્યાને લઇ યુનિવર્સિટીનાં Academic Councilમાં મારી બાબતને ગંભીરતા પૂર્વક દયાને લઈ ચર્ચાના અંતે Academic Council દ્વારા મંજુરી આપવામાં આવી હતી.
2021 પહેલા મને Academic Council તેમજ યુનિવર્સિટીના સત્તામંડળો શું હોય છે એ પણ ખબર ન હતી અને કઇ રીતે કાર્ય કરે છે એ પણ જાણ ન હતી. સેમ-1 ની Exam આપવા માટે Dr.DipakBhoye sir પાસે થી ખુબ જ સારૂં માર્ગદર્શન મળ્યું હતું. અને મહેનત કરવા જણાવવામાં આવ્યું હતું. Phisics Department ના Professors દ્વારા પણ ખૂબ સારૂ માર્ગદર્શન અને પ્રેરણા સહકાર મળતા 23મી, ફેબ્રુઆરી, 2022 ના રોજ પરીક્ષા આપી હતી. અને જૂન માં Result આવતાં પાસ જાહેર થયું હતું એ મારા માટે ખુબ જ આનંદની ક્ષણ હતી. આટલા વર્ષ પછી હું Msc. ની પરીક્ષા પાસ થઇ હતી. અને મને સફળતા મળી હતી જેના માટે હું Dr.DipakBhoye sir અને મારા Phisics Department ના Head Dr.K.C.Poria અને બીજા તમામ Professors તેમજ Science Faculty ના ડીનશ્રી Dr. Kapila Medam તેમજ Academic કાઉન્સીલના તમામ સભ્યો અને Vice Chanceller Dr.કિશોરસિંહ ચાવડા Sir ની આભારી છું.
આ તો મારા પ્રવાસનો અડધો ભાગ છે. ત્યાર પછી સેમ-lllમાં જે એ.ટી.કે.ટી. હતી. એનો સિલેબસ બદલાઇ જવાથી માર્કશીટમાં ફેરફાર કરવો પડે એમ હતું, નવા અભ્યાસ ક્રમ મુજબ Laser નો વિષય સેમ-૩ માંથી સેમ-૪ માં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પડકાર જનક સ્થિતી સેમ-lll ની માર્કશીટ અંગેનો હતો જે ખુબ જ ટેકનીકલ હતું .
જેથી મારે સેમ-lll ની એ.ટી.કે.ટી. સોલ કરવા માટે સેમ-૪ ના Laser વિષયની Exam આપવાની અને એના જે માર્કસ આવે તેને સેમ-lll ની માર્કશીટમાં ઉમેરવાનું જે ખુબ જ અધરૂ કામ હતું. જે અશકય હતું. તેના માટે લાંબી પ્રોસેસ કરવાની જરૂર પડે છે, ઠરાવ કરવો પડે છે જેના માટે ખુબ જ લાંબો સમય લાગે છે. ડો. દિપક સાહેબ પોતે એકેડેમિક કાઉન્સિલના મેમ્બર અને સેનેટ સભ્ય હોવાથી તેમનું સતત માર્ગદર્શનથી મારી રજૂઆત સાંભળવામાં આવતી તેથી આ અંગે યુનિવર્સિટીની Academic Council દ્વારા મારા માટે નિર્ણય લેવાયો અને પરીક્ષા આપવાની મંજુરી આપવામાં આવી હતી.
April,૨૦૨૩માં મે પરીક્ષા અને ૨૯ મી મે,૨૦૨૩ના રોજ પરિણામ આવતા હું પાસ જાહેર થતા મને સફળતા મળી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં મારી કુલ સાત (૭) માર્કશીટ થતી હતી પરંતુ યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલ દ્વારા ખુબજ સરાહનીય નિર્ણયના કારણે જે વિદ્યાર્થીઓ વધુ ટ્રાયલે પાસ થાય તેવા વિધ્યાર્થીઓના ભવિષ્યને જોતાં કોઇ પણ જગ્યાએ એ.ટી.કે.ટી.નો ઉલ્લેખ વગર એક જ માર્કશીટ આપવાનો નિર્ણયના કારણે હવે જયારે હું કોઇ પણ જગ્યાએ નોકરી માટે જઇશ ત્યારે પાસ ની માર્કશીટ આપીશ જેના પર કોઇ પ્રશ્ન ઉઠાવી શકે એમ નથી.
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ, ૫૫ મો પદવીદાન સમારંભમાં માનનીય મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો જેમાં મને MSc. Phisics ની Degree આપવામાં આવી હતી.
આ સમગ્ર સંધર્ષ પાછળ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા ડાંગના પ્રોફેસર Dr.Dipak Bhoye sir ના માર્ગદર્શનના કારણે જ મને ઉચ્ચ શિક્ષણમાં સફળતા પ્રાપ્ત થઇ જેના માટે હું Dr. Dipak Bhoye sir ની આભારી છું. યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ ચાવડા, પરીક્ષા નિયામકશ્રી, રજિસ્ટ્રાર,યુનિવર્સિટીના તમામ સત્તામંડળો, ડીનશ્રી, Phisics Departmentના અધ્યક્ષ અને હાલના ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એવા ડો. કિશોર પોરિયા સાહેબ, professors, તમામ વહીવટી કર્મચારીઓની હું ખુબ જ આભારી અને ઋણી છું : સોનલ પવાર ..