ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાની સગીર વયની બે દીકરીઓનું લગ્નની લાલચે અપહરણ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાની સગીર વયની બે દીકરીઓનું લગ્નની લાલચે અપહરણ
સર્જન વસાવા, ડેડિયાપાડા: નર્મદા જિલ્લામાં અપહરણની ઘટનામાં વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે હાલમાં પણ ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાંથી બે દીકરીઓના અપહરણની ઘટના જોવા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગરુડેશ્વર તાલુકાના એક ગામની 15 વર્ષીય દીકરીને રાજુભાઈ માનસીગભાઈ તડવી નામનો યુવક પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી ઘટનામાં તિલકવાડા તાલુકાના એક ગામની 16 વર્ષીય દીકરી પણ લગ્ન કરવાની લાલચે ભગાડી લઈ જઈ અપહરણ કરતા જિલ્લામાં સગીર વયની દીકરીઓના અપહરણની ઘટના વધતી જોવા મળે છે. જોકે ઉપરોક્ત બંને ઘટનામાં ગરુડેશ્વર અને તિલકવાડા પોલીસે અપહરણ કરનાર યુવાનો સાથે સગીર દિકરીને શોધવા પ્રયાસો શરુ કર્યા છે.