South Gujarat

ગિરિમથક સાપુતારા ખાતે આવેલી હોટેલોના ગંદા પાણીથી ગટરો ઊભરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ  
 
ગિરિમથક સાપુતારા ખાતે આવેલી હોટેલોના ગંદા પાણીથી ગટરો ઊભરાઈ:
 
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: રાજ્યનુ એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેના હોટલિયારો દ્વારા હોટલોમાં વપરાશમાં લીધેલા ગંદા પાણીનો નિકાલ સાપુતારા સ્થિત આવેલા તળાવમાં કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
 
ડાંગ જિલ્લાના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હોટલિયારો દ્વારા હોટલમાં વપરાશમાં લીધેલા ગંદા પાણીનો નિકાલ આ તળાવમાં જ કરાતા નિર્મળ ગુજરાતના લીરેલીરા ઉડી રહ્યા છે. અહીં સાપુતારા હોટલિયરોની તગડી કમાણીના આડોડાયમાં આ ગંદા પાણીનો નિકાલ તેઓ દ્વારા તળાવમાં જ કરાતા સ્થાનિક નવાગામવાસીઓ સહિત પ્રવાસીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થતા પ્રશ્નાર્થો સર્જાયો છે.
 
અહીં સાપુતારાના હોટલિયરો દ્વારા વપરાશમાં લીધેલુ ગંદુ પાણી રોજેરોજ સાપુતારા તળાવમાં જ છોડાતા તળાવમાં જળચર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પણ જોખમ ઉભુ થવા પામ્યું છે. આ સાથે હોટલિયારોના ગંદા પાણીના કારણે તળાવનું પાણી પણ પ્રદુષિત બનતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ગિરિમથક સાપુતારાના હોટલિયારોના આડોડાયના કારણે સાપુતારા તળાવનું પાણી હાલમાં પ્રદુષિત થઈ રહ્યું છે.
 
જેથી ડાંગ કલેકટરશ્રી મહેશભાઈ પટેલ દ્વારા પ્રવાસીઓ સહિત સ્થાનિકોને ધ્યાનમાં રાખી પ્રદુષણ ફેલાવતા હોટલિયારો સામે લાલ આંખ કરે તેવી માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button