South Gujarat

આદિવાસી આગેવાન સુરેશભાઈ પટેલ પર થયેલાં હુમલા બાબતે તંત્ર મૂક દર્શક

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આદિવાસી આગેવાન સુરેશભાઈ પટેલ પર થયેલાં હુમલા બાબતે તંત્ર મૂક દર્શક

ધરમપુરના આદિવાસી સમાજના આગેવાન સુરેશભાઈ પટેલ પર જીવલેણ હુમલો કરનારા પોલીસની પકડથી આજદિન સુધી દુર

ચુનીલાલ ચૌધરી, વલસાડ: પ્રાપ્ત માહિતી અનુસાર આસુરા ગામનાં આદિવાસી આગેવાન સુરેશભાઈ પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

સમાજનાં અનેક પ્રશ્નો અને અન્યાય સામે ન્યાયિક લડત લડનાર પર ધરમપુર તાલુકાનાં આસુરા ગામના કેટલાક અસામાજિક તત્વોએ જીવ લેણ હુમલો તારિખ.16 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે અમોદીન કબ્રસ્તાન ચાર રસ્તા પાસે આસુરા ગામના સરપંચ સહિત અન્ય પચાસ જેટલાં લોકોએ બોલાવીને ટોળકી બનાવીને મારામારી કરી લાકડાના ફટકાઓ લઈ સુરેશભાઈ ઉપર તૂટી પડ્યા હતા, હાથ પગ, જાઘ અને છાતી પર ગુપ્ત માર પણ મારવામાં આવ્યો હતો. જે વાતની ખબર મળતા જ આદીવાસી સમાજના આગેવાન અને વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર ગાંવિતે હોસ્પિટલમાં જઈને સુરેશભાઈ પટેલની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા. સાથે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક, એસ.પી.સાહેબને ફોન દ્વારા વાત કરી આ બાબતે જલ્દી ઘટતું કરવા જણાવ્યું કે આરોપીને છ દિવસ વીતી ગયા હોવા છતાં ધરપકડ કરી નથી. જેથી જલ્દીથી જલ્દી સમગ્ર જીવલેણ હુમલાના આરોપીની શોધખોળ કરી પોલીસ ધરપકડ કરે એવી માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગામી યોજાનાર લોકસભાની ચુંટણી 2024 આચાર સંહિતા વચ્ચે ટોળકી બનાવી લાકડીઓ અને દંડાનો ઉપયોગ કરવો વર્જિત હોય, ગુનો બને છે જેથી પોલીસ પણ વધારાનો ગુનો દાખલ કરે તે જરૂરી છે,આ ઘટના બાબતે એસ.પી. સાહેબનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો.

હવે જોવું રહયું સમગ્ર ઘટના બાબતે પોલીસ કડક પગલાં લે અને પીડિત વ્યક્તિને ન્યાય અપાવે છે કે નહિ, કે પછી અપરાધીઓને છાવરે છે તે તો આવનારો સમય જ બતાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button