ડાંગમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા લોકશાહીની કરાઈ રહી છે હત્યા:
જે દેશના લોકશાહી અને બંધારણે નોકરી આપી તેની અવગણના: ભાન કોણ કરાવશે

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા લોકશાહીની કરાઈ રહી છે હત્યા:
જે દેશના લોકશાહી અને બંધારણે નોકરી આપી તેની અવગણના: ભાન કોણ કરાવશે
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચારની ધૂમ મચવા પામી છે. જેવી જિલ્લામાં ચર્ચાઓ વાયુ વેગે પ્રસરતિ જોવા મળી રહી હતી. તેવામાં જિલ્લાના જાગૃત નાગરિકે ખરેખર ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ખાલી અફવાઓના ફુગાવો હવામાં ઉડી રહ્યા છે. જે સંબંધે જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર થયો છે કે નહિ જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ, માહિતી મેળવવાની ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.
જિલ્લાના જાગૃત નાગરિકે તા.૨૦/૦૧/૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતો નામે માલેગામ, જાખાના, બારીપાડા, શામગહાન, લહાનચર્યા, વાસુર્ણા અને લિંગા ગ્રામ પંચાયતોમાં આવેલ ગ્રાન્ટ અને ભરાયેલ ગ્રામસભા સંબંધિત માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ નિયમો મુજબ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસેથી માહિતીની અરજી કરી હતી.
માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ નિયમ પ્રમાણે ૩૦ દિવસમાં જ માહિતી આપવાની હતી. તે માહિતી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા નાગરિકને ન આપી હોવાથી તા.૨૦/૦૩/૨૦૨૪ ના રોજ પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારીશ્રી આહવાને નાગરિક દ્વારા કરવામાં આવી હતી. નાગરિકે પ્રથમ અપીલમાં હાજર રહી આધાર પુરાવા સાથે દલીલો કરી અને પ્રથમ અપીલ અધિકારીશ્રી એ દલીલોને માન્ય કરી માહિતી આપવાનું હુકમ જારી કર્યો હતો. તેમ છતાં માલેગામ, જાખાના, બારીપાડા, શામગહાન, લહાનચર્યા, વાસુર્ણાના તલાટી કમ મંત્રીઓએ હુકમની અવગણના કરી આજ દિન સુધી માહિતી નાગરિકને પૂરી ન પાડતા નાગરિકે ઉચ્ચ કક્ષાએ બીજી અપીલ આયોગને કરી છે. લિંગા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા અધુરી ભ્રામક માહિતી આપતા નાગરીકે લિંગા ગૃપ ગ્રામ પંચાયતની પણ બિજી અપીલ આયોગને કરી છે. RTI નિયમોનો ભંગ અને કાયદાથી પોતાને ઉપરી ગણતા તલાટી કમ મંત્રીઓ પર લટકતી તલવારનો જોખમ ખેડાઈ રહ્યો છે.
ભારત દેશનો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, દેશમાં સુખ શાંતિ બરકરાર રહે માટે બંધારણ ઘડાયો તે બંધારણના નિયમોને કોઈ સામાન્ય નાગરિક કે અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ, રાષ્ટ્રપતિ પણ ઉલ્લંઘન કરી ન શકે, દેશનો કાયદો બધાજ માટે સરખો છે. તો ડાંગ જિલ્લાના તલાટી કમ મંત્રીઓ ઉલ્લંઘન કેમ કરી રહ્યા છે શું તેમને દેશનો કાયદો લાગુ પડતો નથી કે કાયદાથી પણ ઉપરી થઈ ગયા છે.
ગ્રામ પંચાયતમાં થતો ભ્રષ્ટાચાર જિલ્લાના વિકાસને કોતરીને ખાઈ રહ્યો છે, જિલ્લાનું વિકાસ ભ્રષ્ટ અધીકારીઓના લીધે ખોટકાઈ રહ્યો છે. ભ્રષ્ટ અધિકારીઓ પર લગામ કસવી અતી આવશ્યક બનવા પામી છે. દેશના કાયદાને ઘોળીને પી જનારા તલાટી કમ મંત્રીઓને દેશમાં લોકશાહી છે તેવુ ભાનમાં લાવવું અતિ આવશ્યક બનવા પામ્યું છે નહીં તો ડાંગ જિલ્લાનો વિકાસ અને દશા આ ભ્રષ્ટાચાર કરતાં અને દેશના કાયદોને પણ ન ગણકારતા તલાટી કમ મંત્રીઓ બદ્દતર કરી નાખશે.