South Gujarat

દંડકવન આશ્રમ ખાતે વિહંગમ યોગ સંત સમાજનો 101 મો વાર્ષિક ઉત્સવનુ કરાયું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

દંડકવન આશ્રમ ખાતે વિહંગમ યોગ સંત સમાજનો 101 મો વાર્ષિક ઉત્સવનુ કરાયું આયોજન:

કમલેશ ગાંવિત, વાંસદા: વાંસિયા તળાવ દંડકવન આશ્રમ ખાતે વિહંગમ યોગ સંત સમાજનો 101 મો વાર્ષિક ઉત્સવ સોમવારે સાંજે ભવ્ય ઉજવણીનુ આયોજન કરવામા આવ્યું છે આ દિવસે કન્યાકુમારી થી કાશ્મીર સુધીની સંકલ્પ યાત્રા દરમ્યાન સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સોમવારે સાંજે દંડકવન ખાતે પધરામણી થશે. જે ભાવિક ભક્તો અને સંતો, ભાઈ બહેનોને જાણ કરવામાં આવી છે.

વાંસદા નગરને અડીને આવેલ વાંસિયા તળાવ ગામે વિહંગમ યોગ સંત સમાજનો 101 મો વાર્ષિક ઉત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર સુધી નીકળી છે, જે યાત્રા દરમ્યાન 28 મી ઓક્ટોબર સોમવારના દિવસે સાંજે 7:00 કલાકે દંડકવન આશ્રમ ખાતે આવી પહોંચશે એમ સંભવિત માહિતી આપવામાં આવી છે.

વધુમાં આ સાથે ગુરુજીના જન્મદિવસ નિમિત્તે આખા વિશ્વમાં રક્તદાન કેમ્પનું આયોજન પણ રાખેલ છે. અને આ રક્તદાન કેમ્પ સવારે 10 કલાકે શ્રી સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ વાંસીયા તળાવ, વાંસદા ખાતે પણ બ્લડ ડોનેટ કેમ્પનુ આયોજન કરવામાં આવશે. સદર આયોજીત કાર્યક્રમમાં આજુબાજુના દરેક ગ્રામજનો, ગુરુ, ભાઈઓ-બહેનોને હાર્દિક આમંત્રણ માટે સંદેશો પાઠવીએ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button