ધવલીદોડ ગામમાં સરકારી કાગળો પર બ્લોક દર્શાવાયા, અને જમીન પર બ્લોક ગાયબ..!!

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ધવલીદોડ ગામમાં સરકારી કાગળો પર બ્લોક દર્શાવાયા, અને જમીન પર બ્લોક ગાયબ..!!
બ્યુરો ચીફ,રામુભાઇ માહલા ડાંગ: ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામમાં મળતી માહિતી મુજબ એટીવીટી કાર્યવાહક આયોજન યોજનામાં પેવર બ્લોકનું કામ માત્ર સરકારી કાગળો પર બની ગઈ છે. જ્યારે ધવલીદોડ ગામે તુળજા ભવાની માતાનાં મંદિર તરફ જતા રસ્તા પર સ્થળની મુલાકાત લેતા એ જગ્યા પર પેવર બ્લોકનું કામ જોવા મળતું નથી.
સરકારી કાગળો પર તો રૂપિયા ૩૫૦૦૦૦ નું પેવર બ્લોકનું કામ તારીખ ૧૯/૧૦/૨૦૨૨ નાં રોજ શરૂ કરેલ છે. અને તારીખ ૦૨/૦૩/૨૦૨૪ નાં રોજ કામ પૂર્ણ કરેલ છે. તેમ સરકારી કાગળોમાં બતાવી દીધું છે. જો આવું જ ચાલશે તો ગામનો વિકાસ તો નય પણ સરપંચ અને તલાટી સાથે મળેલા અધિકારીઓનો વિકાસ તો ચોક્ક્સ પણે થશે એમાં કોઈ શક નથી.
તો આ ભ્રષ્ટાચાર માટે ગામના સરપંચ, તલાટી, અધિક મદદનીશ ઇજનેર, તાલુકા વિકાસ અધિકારી અને પંચકામમા સહી સિક્કા કરનારા તમામ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી..??
એટીવીટીના કામમાં ગામનાં સરપંચ દ્વારા કરેલ ભ્રષ્ટાચારમાં કયા કયા અધિકરીઓની મીલીભગત છે. તે તપાસનો વિષય બનેલ છે. થયેલ ભ્રષ્ટાચારમાં કોની કોની ભાગીદારી છે. એ બાબતે પણ તપાસ થાય એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
ધવલીદોડ ગામમાં તુળજા ભવાની માતાના મંદિર તરફ જતા રસ્તા પર રૂપિયા ૩૫૦૦૦૦ પેવર બ્લોકનું કામ જે એટીવીટી કાર્યવાહક આયોજન યોજનાનું વર્ક ઓર્ડર તારીખ ૧૦/૧૯/૨૦૨૨ નાં રોજ મળી ગયેલ છે. અને તારીખ ૦૨/૦૩/૨૦૨૪ નાં રોજ કામ પૂર્ણ કરેલ છે. તેમ સરકારી કાગળોમાં બતાવી દીધું છે. તો જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું.