Health

નર્મદા જીલ્લામાં દેડીયાપાડા તાલુકાના IPHS આયુષ્માન આરોગ્ય મંદિર સામોટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

નર્મદા જીલ્લામાં દેડીયાપાડા તાલુકાના IPHS આયુષ્માન આરોગ્ય મંદિર સામોટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:

GMERS હોસ્પિટલ તથા રાજપીપળા શહેરના વિવિધ નિષ્ણાંત તબીબોએ સેવા આપી, ૨૦૦થી વધુ નાગરિકોએ કેમ્પનો લાભ લીધો

સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.ઓ.માઢકની રાહબરીમાં તા.૦૮ મે-૨૦૨૫ને ગુરૂવારનો રોજ Indian Public Health Standard (IPHS) ધારા ધોરણ મુજબ દેડિયાપાડા તાલુકાના સામોટ ગામે નવ નિર્મીત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ડૉ. અનુરાગ જૈન- ઓર્થોપેડીક સર્જન-રાજપીપળ, ડૉ.કિરણ પુરોહિત બાળ રોગ નિષ્ણાંત, GMERS હોસ્પિટલ-રાજપીપળા, ડૉ. સેજલ ચૌધરી, સ્ત્રી રોગ નિષ્ણાંત GMERS હોસ્પિટલ-રાજપીપળા, ડૉ. જૈનીશ ધડુક, ફીઝીશ્યન GMERS હોસ્પિટલ-રાજપીપળા સહિતના વિવિધ નિષ્ણાંત તબીબોએ સેવા પુરી પાડી હતી. સર્વ રોગ નિદાન કેમ્પનો કુલ-૨૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં ગાયનેક ઓ.પી.ડી.ના ૩૬ લાભાર્થી, ઓર્થોપેડીક ઓ.પી.ડી.ના ૩૦ લાભાર્થી, ફીઝીશિયન ઓ.પી.ડી.ના ૧૨૯ લાભાર્થી, પીડીયાટ્રીશિયન ઓ.પી.ડી.ના ૧૮ લાભાર્થી નોંધાયા હતા. જે પૈકી ૧૨ ડાયાબિટીસના નવા નિદાન કેસ નોંધાયા હતા. હાયપરટેન્શન ૨૬ નવા કેસનું નિદાન કરવામાં આવ્યુ હતું. આ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ સામોટ તેમજ આજુ બાજુના ગામો અને મહારાષ્ટ્રના નાગરિકોએ પણ લાભ લીધો હતો. આ કેમ્પમાં જિલ્લા/તાલુકા કક્ષાએથી અધિકારીઓ /કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button