નર્મદા યોજના અને નર્મદા ડેમના દરવાજાની મંજૂરી માટે ગુજરાતની જનતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયારેય ભૂલી શકશે નહિં : સાંસદ મનસુખભાઇ વસાવા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નર્મદા યોજના અને નર્મદા ડેમના દરવાજાની મંજૂરી માટે ગુજરાતની જનતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયારેય ભૂલી શકશે નહિં : સાંસદ મનસુખભાઇ વસાવા
ભારતની સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર” દ્વારા વિશ્વને “નયા ભારત”ની ઓળખ કરાવી દીધી છે.
સર્જન વસાવા, ડેડિયાપાડા: ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનસેવા, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે તે સંદર્ભમાં વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લ તથા ડૉ .અનિલભાઈ પટેલ અને સાંસદ મનસુખભાઇ વસાવા એ સંયુકત રીતે રાજપીપળા કમલમ ખાતે મિડીયાના પત્રકાર મિત્રોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત 13 વર્ષ યશસ્વી મુખ્યમંત્રી તરીકે રાજયના સર્વાંગી વિકાસ અને ગૌરવના સમગ્ર દેશને દિશાદર્શન કરાવ્યાં પછી પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિ દ્વારા છેલ્લા 11 વર્ષથી વિશ્વમાં ભારતની આન-બાન-શાન વધારી રહયાં છે. ગુજરાતની જનતાને ગૌરવ છે કે, ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે.
દિલ્હીમાં પ્રધાનમંત્રી તરીકે આપણાં શ્રી નરેન્દ્રભાઈ મોદી બેઠાં હોય એટલે કે, મોસાળમાં મૉં પિરસનાર હોય ત્યારે માંગ્યુ હોય તે તો…આપે પરંતુ ન માંગ્યુ હોય તે પણ મોટા પ્રમાણમાં આપીને ગુજરાતને વિશ્વકક્ષાએ મુકી દે છે. પ્રધાનમંત્રી બન્યાં પછીના 17માં દિવસે ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી દીધી હતી.જેના કારણે નર્મદાના નીર, નદીઓ, તળાવો, નહેરો દ્વારા ગામે-ગામ, ઘરે-ઘરે, ખેતરે-ખેતરે પહોંચ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ આપવાની હોય. ક્ચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જી પાર્ક હોય કે ભાવનગર ખાતે વિશ્વનો પ્રથમ સી.એન.જી.ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કરવાનો હોય. વડોદરા ખાતે રેલ્વે યુનિવર્સિટીની સ્થાપના કરવાની હોય કે પછી ગુજરાતની વિશ્વ વિખ્યાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી રાષ્ટ્રીય દરજ્જો આપવાનો હોય. દાહોદમાં ઈલેક્ટ્રીસીટી મોટોવેટીવ મશીન ઉત્પાદન એકમનું લોકાર્પણ કરવાનું હોય. રાજકોટ ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તેમજ એઈમ્સ હોસ્પિટલ આપવાની હોય. સુરત ખાતે વિશ્વના સૌથી મોટા હબ ડાયમંડ બુશનું લોકાર્પણ કરવાનું હોય.આવા તો અનેક પ્રોજેકટો અને યોજનાઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને કારણે ગુજરાતને મળ્યાં છે. ગુજરાતની જનતા તેને કયારેય ભૂલી શકશે નહિં.
સૌના સાથ-સૌના વિકાસના સુત્ર સાથે જનકલ્યાણની અનેક યોજનાઓ યોગ્ય લાભાર્થીઓને પહોંચે તે માટે ડી.બી.ટી.દ્વારા કાયમી સિસ્ટમ ગોઠવી. જેનાથી 44 લાખ કરોડ રૂ.નું વિતરણ કરવામાં આવ્યું. ભૂતિયા અને ખોટા લાભાર્થીઓને દૂર કરીને 3.48 લાખ કરોડની બચત કરવામાં આવી અને 5.87 કરોડ અયોગ્ય રેશનકાર્ડ અને 4.23 કરોડ નકલી અને ખોટા એલ.પી.જી.ગેસ કનેકશન દૂર કરવામાં આવ્યાં. વધુ માં બાળકૃષ્ણ શુક્લ એ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના (મોદી કેર) આયુષ્યમાન ભારતમાં 55 કરોડ લોકોને 5 લાખ રૂ.સુધીની (ગુજરાતમાં 10 લાખ કાર્ડ) મફત સારવાર માટે કેસલેશ PMJAY કાર્ડ આપવામાં આવ્યાં છે.
ભારતમાં મજબુત ઈન્ફ્રાસ્ટકચર માટે રાષ્ટ્રીય રાજમાર્ગ કુલ 1,46,204 કિ.મી.કરીને વિશ્વમાં ભારત રોડ-રસ્તાના નેટવર્કમાં બીજા સાથે પહોંચ્યું છે. દરરોજ 34 કિ.મી.હાઈવેનું નિર્માણ થાય છે.ભારતનું રેલ્વે નેટવર્ક 67,415 કિમી દ્વારા વિશ્વમાં ચોથા સ્થાને છે. 200 વંદે ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 50 નમો ભારત રેપિડ ટ્રેન કાર્યરત છે. વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ બ્રીજથી લઈને અનેક બ્રીજોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેન પુરજોશમાં ચાલું છે. એ પૂર્ણ થશે ત્યારે 350 પ્રતિ કલાકેની સ્પીડે અમદાવાદથી મુંબઈ 2.15 કલાકની અંદર પહોંચાશે. ભારતમાં એરપોર્ટની સંખ્યા 74થી વધીને 2025 સુધીમાં 160 એરપોર્ટ થયાં છે. 86 નવા એરપોર્ટ અને 88 સ્થળોને જોડવામાં આવ્યાં. દેશમાં 111 જળમાર્ગો દ્વારા પરિવહન થઈ રહ્યું છે. સાગરમાલા પ્રોજેકટ હેઠળ 1208 મોટા બંદરોને વિકસિત કરવામાં આવી રહ્યાં છે.
રાષ્ટ્ર પ્રથમના મંત્રને લઈને કાશ્મીરમાંથી 370 અને 35-એ કલમ દૂર કરીને સરદાર પટેલ અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના “એક ભારત”ના એક સુત્રને સાકાર કર્યું છે. સી.એ.એ. કાનૂન દ્વારા પાકિસ્તાન બાંગ્લાદેશ અને, અફધાનિસ્તાન માંથી આવેલ ભારતીય લધુમતિઓને (હિંદુ શરણાર્થીઓ) ભારતનું નાગરિકત્વ આપવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. યુ.સી.સી.એટલે કે, લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરીકો માટે સમાન કાયદો કરવા કેન્દ્રની ભાજપ સરકાર કટિબદ્ધ છે. સાંસદ મનસુખભાઇ વસાવા એ વઘુમાં જણાવ્યું હતું કે, જે દેશ પોતાની સંસ્કૃતિ,પરંપરા, માનબિંદુઓ,શ્રદ્ધા કેન્દ્રોને માન-સન્માન ગૌરવ આપી શકતો નથી. તે દેશ કયારેય પ્રગતિ કરી શકતો નથી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 500 વર્ષ જૂના વિવાદનો ન્યાયિક ઉકેલ લાવીને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનું પુનઃનિર્માણ, કાશી વિશ્વનાથ મહાદેવનો કોરીડોર, ઉજ્જૈન મહાકાલ કોરીડોર, કેદારનાથ મંદિર, સોમનાથ મંદિર, અંબાજી અને પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિર વગેરે દેશની આસ્થા અને શ્રદ્ધા કેન્દ્રોની કાયાકલ્પ કરીને વિશ્વને ભારતીય સંસ્કૃતિના દિવ્ય-ભવ્ય દર્શન કરાવ્યાં છે.
ભારતની સુરક્ષા માટે અને આતંકવાદીઓના ખાત્મા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીની નિર્ણય શક્તિથી ભારતના સૈન્યના વીરજવાનોએ “સર્જીકલ સ્ટ્રાઈક”, “એરસ્ટ્રાઈક” અને “ઓપરેશન સિંદૂર” દ્વારા વિશ્વમાં ભારતની શક્તિ-ગૌરવ વધાર્યું છે. અંતમાં જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં આવા એક જ વ્યકિત હશે કે જેમણે સૌથી વધુ યાત્રાઓ દ્વારા લોકોની વચ્ચે પરિભ્રમણ કર્યું હોય, ગુજરાત અને દેશમાં સૌથી વધુ લોકલ્યાણની યોજનાઓ અને વિકાસના કાર્યો કર્યા હોય તેમજ સૌથી વધુ કરોડો-કરોડો લોકોને યોજનાના લાભો પહોંચાડ્યાં હોય. વિશ્વમાં એક માત્ર પ્રધાનમંત્રી શ્રી છે કે, જેમણે વિશ્વમાં સૌથી વધુ એટલે કે, 22થી વધુ દેશોના ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યાં હોય. વિશ્વમાં સોશીયલ મિડીયામાં સૌથી વધુ લોકપ્રિય અને વધુ ફલોઅર્સ ધરાવે છે તેવાં શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે 11 વર્ષ પૂર્ણ કરે છે. ત્યારે અમે તેઓને હાર્દિક શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશના અમૃતકાળામાં “એક ભારત-શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે આપણે સહુ યથાયોગ્ય યોગદાન આપીએ તેવી નમ્ર અપીલ કરીએ છીએ.આ પ્રેસ મીટ માં જિલ્લા પ્રમુખ નીલ રાવ,ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ સહિત પૂર્વ ધારાસભ્ય અને મંત્રી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.