JCI વાંસદા રોયલ તથા આશીર્વાદ માર્કેટિંગ દ્વારા 5 દિવસીય “ઉન્નતિ મેગા ટ્રેડ ફેર 2025″નું ભવ્ય ઉદ્ઘાટન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
JCI વાંસદા રોયલ તથા આશીર્વાદ માર્કેટિંગ દ્વારા 5 દિવસીય “ઉન્નતિ મેગા ટ્રેડ ફેર 2025″નું ભવ્ય ઉદ્ઘાટન:
વાંસદા ગાંધી મેદાન ખાતે 5 દિવસીય “ઉન્નતિ મેગા ટ્રેડ ફેર 2025” નું JCI વાંસદા રોયલ અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા ભવ્ય ઉદ્ઘાટન કરાયું:
કમલેશ ગાંવિત, વાંસદા: JCI વાંસદા રોયલ અને આશીર્વાદ માર્કેટિંગના સંયુક્ત ઉપક્રમે આયોજિત 5 દિવસીય “ઉન્નતિ મેગા ટ્રેડ ફેર 2025” નો આજ રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી અનેક આગેવાનો અને મહાનુભાવો, મહેમાનોની ઉપસ્થિતિ રહી સમગ્ર કાર્યક્રમ ને દીપાવ્યો હતો.
આજના ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વાંસદા તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ પરમાર નાઓ એ રિબીન કાપીને મેળાને જનતા માટે ખુલ્લો મુક્યો હતો, આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી રાકેશભાઈ ઢીંમર (Yes Agency) અને ડૉ. લોચન શાસ્ત્રી (શ્રી હોસ્પિટલ રાણી ફળિયા) ઉપસ્થિત રહ્યા હતાં. સાથે કાર્યક્રમ ની શોભા વધારનાર વાંસદાના પી.આઇ. શ્રી જે.વી. ચાવડા, સરપંચ શ્રી ગુલાબભાઈ, ગામના અગ્રણી નટુભાઈ પંચાલ, પ્રદ્યુમનસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, સેક્રેટરી સાગર પટેલ, પ્રો. ચેરમેન વિજયભાઈ પટેલ, અને પત્રકાર વિશેષોએ પણ ઉપસ્થિતિ આપી પ્રસંગને દીપાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન JCI વાંસદા રોયલના પ્રમુખ JFM મિતુલ ભાવસારએ સૌ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને તેઓના અમૂલ્ય સમય અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઝોન 8ના ઝોન વાઇસ પ્રેસિડન્ટ JC સાહિલ દેસાઈ તથા ઝોન ડાયરેક્ટર – બિઝનેસ JC પ્રણવ દેસાઈએ ખાસ હાજરી આપી, મેળાને વધુ પ્રેરણાદાયક અને ઉર્જાવાન બનાવ્યો હતો. આ 5 દિવસીય ટ્રેડ ફેરમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો અને સ્ટોલ ધારકો દ્વારા પોતાના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે, જે સ્થાનિક જનતાને નવું જોયું અને નવું ખરીદવાનું અનોખું મંચ પૂરું પાડે છે.
આ મેળો વેપારિક વિકાસ, નેટવર્કિંગ તથા સ્થાનિક વ્યાપારિક તકોના વિકાસ માટે મજબૂત પાયાનું કાર્ય કરશે તેવી આશા અને અપેક્ષાઓ સાથે, JCI વાંસદા રોયલ તમામ વાંસદા અને આજુબાજુ વિસ્તારના નાગરિકોને મેળાની અવશ્ય મુલાકાત લેવા માટે દિલથી આમંત્રણ આપે છે.