Religious

બિલમાળ તુલસીગઢ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજ્જારો ભાવિક ભક્તો ઉમટ્યા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

બિલમાળ તુલસીગઢ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજ્જારો ભાવિક ભક્તો ઉમટ્યા

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતું બિલમાળ તુલસીગઢ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજ્જારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

દક્ષિણ ગુજરાતનું બાગેશ્વર ધામ ગણાતું બિલમાળ તુલસીંગઢ ખાતે રવિ, સોમ, અને મંગળવારે દરબાર યોજી અનેક દીનદુઃખિયાઓનું દુઃખ નિવારણ કરવામાં આવતા ભાવિક ભક્તોમાં અનેકરૂપી મહારાજ પ્રત્યે ખુબ આસ્થા બની છે. તેવા સંજોગોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાત સહીત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હજ્જારો ભાવિકોએ અનેકરૂપી મહારાજ સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. બિલમાળ તુલસીગઢ ખાતે નાગેશ્વર શિવ અર્ધનારેશ્વર મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. તેમજ હરહર મહાદેવ બે શિવ અર્ધનારેશ્વરની જયકાર સાથે સમગ્ર પરિસરનું વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતુ.

દરેક ભાવિક ભક્તોના જીવનમાં આવી પડેલી સમસ્યાનું સમાધાન કરાવનાર પૂજ્ય અનેકરૂપી મહારાજનું ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશિર્વદ સાથે મંદિર દર્શન માટે સવારથી લાંબી લાઈનો લાગી જવા પામી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંદિરના કાર્યકર્તા શંકરભાઇ દળવી, રમેશભાઈ બોરસતે, વિજુભાઈ, દિનેશભાઇ સહીત ભાવિકોએ ભારે જહેમત ઉઠાવી હતી .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button