South Gujarat

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે ગુરૂપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે ગુરૂપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી

કમલેશ ગાંવિત, વાંસદા : ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે ગુરૂપૂર્ણિમા અંતર્ગત ઉજવણી કરાઈ હતી, રવિવારની રજાને અનુલક્ષી સ્કૂલ દ્વારા આગલા દિવસે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘનાં સ્વામી શ્રી વિશ્વારૂપાનંદજી મહારાજ શાળાના આચાર્ય તેમજ કિશોરભાઈ તેમજ સંસ્થાના ભાવેશભાઈ તેમજ તમામ સ્ટાફ દ્વારા ગુરૂ મહારાજનું પુજન કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોમાં ગુરુ પ્રત્યે આદર ભાવ અને સન્માન પ્રગટ કરવાનો આ એક પવિત્ર ઉત્સવનુ મહત્વ સમજાવવામા આવ્યું હતુ તેમજ તમામ બાળકોએ ગુરૂ પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આજના કાર્યક્રમના અંતે સૌ બાળકો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

બીજા દિવસે સવારે આશ્રમમા ગુરૂ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વારૂપાનંદજી મહારાજે સૌ પ્રથમ ગુરૂ પૂર્ણિમા નિમિતે સૌનાં કલ્યાણ અર્થે યજ્ઞ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના અનુયાયીઓ ગણદેવીથી શ્રી દિવ્યેશ કાપડિયા, ચીખલીથી હરીશ ખત્રી તેમજ વાંસદાથી ડૉ. લોચન શાસ્ત્રી, તાલુકા પંચાતના પ્રમુખ દીપ્તિબેન, તાલુકા પંચાયત સભ્ય શ્રી યોગેશ દેસાઈ, આદિજાતિ વિભાગના અધ્યક્ષશ્રી પિયુષભાઈ પટેલ,ગુરૂ મહારાજનાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ આ પ્રસંગે ગુરૂ મહારાજની વિશેષ વીર શસ્ત્ર આરતી સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. તમામ સ્ટાફ મીત્રો, મહેમાનો તેમજ પ્રણવ છાત્રાલયનાં બાળકો દ્રારા ગુરૂ મહારાજનું પુજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ મિત્રો પ્રસાદ લઇને છુટા પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button