ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરાઈ:
કમલેશ ગાંવિત, વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના ગંગપુર ગામે ભારત સેવાશ્રમ સંઘ આશ્રમ ખાતે યુગાચાર્ય સ્વામીજી પ્રણવાનંદજી મહારાજ ની 129 મી જન્મ જયંતી નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજના કાર્યક્રમ ની શરૂઆત પ્રસંગે શાળાના બાળકો, સ્ટાફ મિત્રો, ટ્વિન્કલ પટેલ, કલ્પેશ પટેલ, ધનસુખ ગાંવિત, આચાર્ય મણીલાલ પટેલ સાહેબ દ્વારા ભજન ની રમઝટ જમાવી હતી. ત્યાર બાદ સંસ્થા નાં મંત્રી સ્વામી શ્રી વિશ્વારૂપા નંદજી મહારાજ થકી મંત્રોચાર દ્વારા હવન પૂજા કરવામાં આવ્યો હતો. હવન પૂર્ણ હુતી બાદ ગુરૂ મહારાજ ની શસ્ત્રો દ્વારા વીર આરતી કરવામાં આવી હતી. ગણદેવી ચીખલી તેમજ વાંસદા નાં બધા ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. અંતે ભોગ ધરાવી તમામ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લિધો હતો.
આ કાર્યક્રમમાં ગણદેવી થી શ્રી ચંદ્રકાંતભાઇ તેમજ હરીશભાઈ એન. આર.આઈ.,શ્રી કમલેશ કાપડિયા તેમનું પરીવાર ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. વાંસદા થી આર. એસ. એસ. પરીવાર માંથી વિક્રમ રાજપુરોહિત, નટુભાઈ પટેલ, અન્ય મીત્રો ઉપસ્થીત રહ્યા હતા. શાળા નાં આચાર્ય મણિલાલ પટેલ, પ્રાથમિક શાળા આચાર્ય હિમ્મત ચૌહાણ, શાળા ડાયરેકટર શ્રી કિશોરભાઈ પટેલ, ભાવેશ પટેલ, રાજુભાઈ ઉપસ્થીત રહ્યા હતા. સંસ્થાના ચીફ ઓડિટર શ્રી નિમિષ વ્યાસ સાહેબે ઓસ્ટ્રેલિયા થી ભાવિક ભક્તો ને શુભેચ્છા પાઠવી હતી. વધુમાં આજના કાર્યક્રમ દ્વારા તમામ ભાવિક ભક્તો આ માઘ પુર્ણિમા નાં શુભ દીને પુ.ગુરૂ મહારાજ નાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યકમને સપૂર્ણ રીતે પૂરો પાડવા આશ્રમ નાં તમામ સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.