મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામાં :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામાં :
આજે મહાત્મા મંદિર ખાતે યોજાનાર શપથવિધિમાં નવા મંત્રીઓ શપથ લેશે.
બિપીન વસાવા, નેત્રંગ: ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીઓની મળેલી બેઠક પૂર્ણ, હાઈકમાન્ડના નિર્ણય અંગે તમામ મંત્રીઓને જાણ કરાઈ, બાદમાં રાજીનામાં લેવાયા, ગત સાંજે મુખ્યમંત્રી રાજ્યપાલને મળી મંત્રીઓના રાજીનામાંનું લિસ્ટ.ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામાં, ભાજપને અચાનક મંત્રીઓ કેમ બદલવા પડ્યા, શું છે કારણ? ગુજરાતની વિધાનસભા ચૂંટણીને હજુ બે વર્ષની વાર છે ત્યાં જ ગુજરાતના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દેતાં ખળભળાટ મચી ગયો છે.
16 મંત્રીઓમાં આઠ કૅબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ સામેલ છે.કૅબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબહેન બાબરિયાએ રાજીનામું આપ્યું છે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, પરશોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિએ રાજીનામું આપ્યું છે.આજે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીમંડળના સભ્યોની યાદી રાજ્યપાલને સુપરત કરશે.
આ પહેલા, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત ફર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ આજે સાંજે ગુજરાત આવશે તેવી અને ગત રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાય હતી, જેમાં પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાજી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સહીત તમામ ધારાસભ્યો હાજર રહયા હતા. આ બેઠકમાં જ નવા મંત્રીઓને તેમના સમાવેશ અંગે જાણ કરવામાં આવશે અને આજે મહાત્મા મંદિર ખાતે શપત ગ્રહણ કાર્યક્રમ યોજાશે તેવાં સમાચારો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે.



