રાજપીપલા કમલમ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય થયેલા નવનિર્વાચિત સરપંચ અને સભ્યો માટે સન્માન સમારોહ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
રાજપીપલા કમલમ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય થયેલા નવનિર્વાચિત સરપંચ અને સભ્યો માટે સન્માન સમારોહ યોજાયો
સર્જન વસાવા, દેડીયાપાડા : નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયેલા નવનિર્વાચિત સરપંચ અને સભ્યોના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામડાઓના વિકાસ અને લોક સેવાની ભાવનાઓને નવો ઉત્સવ મળ્યો, જે સ્થાનિક સ્વરાજ્યને મજબૂત બનાવશે. ત્યારે રાજપીપલા ખાતે આયોજિત ધમાકેદાર આયોજનથી વિકાસની નવી લહેર ફેલાઈ છે. નવા સરપંચ અને સભ્યોનું સન્માન કરીને ગ્રામ વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. આ કાર્યક્રમ દ્વારા ગામની ગલીઓમાં પ્રગતિનો સંદેશ પહોંચાડ્યો છે.
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલકુમાર રાવ તેમજ નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ અનેક આગેવાનોની હાજરી આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિજય થયેલા સરપંચ અને સભ્યોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે વિજય થયેલા સરપંચ અને સભ્યોએ ગામની પ્રગતિ અને લોકોની સેવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ થી સ્થાનિક સ્વરાજ્યના વિકાસ માટે જુસ્સો જગાડ્યો છે. જે નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રગતિના પથ પર આગળ લઈ જશે. અને સૌને અભિનંદન અને શુભકામનાઓ સાથે આ સન્માન સમારોહ વિકાસના નવા શિખરો તરફ આગળ જવાની શરૂઆત કરી છે.



