નેત્રંગ તાલુકામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતાં ભારે હાલાકી: ખાનગી વિતરકો દ્વારા ઉઘાડી લૂંટ!

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નેત્રંગ તાલુકામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતાં ભારે હાલાકી: ખાનગી વિતરકો દ્વારા ઉઘાડી લૂંટ!
ખાતરની માંગ વધારે હોવા છતાં તંત્રના પુરતા આયોજનના અભાવે ખેડૂતોને ખાતર મેળવવા ભારે મુશ્કેલી;
યુરિયા ખાતરનો સહકારી સંસ્થાઓમા એક બેગનો ભાવ રૂ.૨૬૬.૫૦ જ્યારે ખાનગી વિતરકોને ત્યા એક બેગનો ભાવ રૂ.૨૮૦ સીધો રૂ.૧૩.૫૦ નો તફાવત;
સર્જન વસાવા ,નેત્રંગ : નેત્રંગ તાલુકામાં જરૂરિયાતના સમયે જ ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યુરિયા ખાતરની માંગ વધારે હોવા છતાં તંત્રના પુરતા આયોજનના અભાવે ખેડૂતોને ખાતર મેળવવા ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ખેતી કામના સમયે જ ખાતર લેવા માટે સહકારી સંસ્થાઓના ગોડાઉન પર તેમજ ખાનગી વિતરકોની દુકાનો પર વહેલી સવારથી ભુખ્યા તરસ્યા બે થી ત્રણ કલાક લાઇનમાં ઉભા રહે છે, ત્યારે માંડ માંડ એક બે બેગ નસીબ થાય છે. બીજી તરફ સહકારી સંસ્થાઓના સંચાલકોના જણાવ્યા મુજબ અગાઉથી ખાતરનો જેતે કંપનીઓને ઓર્ડર આપવા છતા પણ સમયસર ખાતરનો જથ્થો મળતો નથી, જેના કારણે ખેડૂતો અને સંસ્થાઓના કર્મચારી સાથે ધર્ષણ થતુ રહે છે. કેટલીક કંપનીઓને ખાતર લે તોજ અન્ય ખાતર મળશે નું દબાણ કરતા તે ખાતર લેવા માટે પણ સંસ્થાઓ તૈયાર હોવા છતા પણ સમયસર ખાતર જેતે કંપનીઓ આપતી નથી, જેના કારણે ગરીબ આદિવાસી ખેડૂતો સમયસર ખાતર નો છંટકાવ નહી કરી શકતા પોતાના ખેતરમાં રોપણી કરેલ પાક બચાવી શકાતો નથી.
ખેતીવાડી વિભાગ, સાંસદશ્રી અને જીલ્લા કલેક્ટર ભરૂચ જીલ્લા ના પછાત તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે બાબતે દયાન આપે તેવું ખેડૂત આલમમાં ચર્ચાઈ રહ્યુ છે.



