રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ દ્વારા સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ના મૂલ્યાંકન અર્થે સંસ્થાની મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ દ્વારા સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ના મૂલ્યાંકન અર્થે સંસ્થાની મુલાકાત:
સર્જન વસાવા, ભરૂચ: તા. ૯ તથા ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) દ્વારા સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ના મૂલ્યાંકન અર્થે સંસ્થાની મુલાકાત કરવામાં આવી હતી.
આ ટીમના ત્રણ સભ્યો પૈકી ચેરપર્સન તરીકે પ્રો.(ડૉ.) સંદીપ ચેટર્જી (પ્રો-વાઈસ ચાન્સેલર, ડી.વાય.પાટિલ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, પુણે, મહારાષ્ટ્ર), મેમ્બર કોઓર્ડીનેટર તરીકે પ્રો. નારાયણ પાઠક (પ્રોફેસર, વાણિજ્ય વિભાગ, એપીએસ યુનિવર્સિટી, રેવા, મધ્યપ્રદેશ) અને મેમ્બર તરીકે ડૉ. જોયદીપ ભટ્ટાચારજી (આચાર્યશ્રી, ગવર્નમેન્ટ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ, ક્વિપેમ, દક્ષિણ ગોવા) ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સંસ્થાની સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક બાબતો, વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ તેમને મળતી ભૌતિક સવલતો બાબતે તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું.
આ મુલાકાત ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠતા તરફ કોલેજની સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. આ સમગ્ર પ્રક્રિયા કોલેજના આચાર્યશ્રી ડૉ. લીના દવે, IQAC કોર્ડિનેટર અભિષેક વિશ્વકર્મા, NAAC કોર્ડિનેટર ડૉ.નિરવ પંડ્યા તથા તમામ કોલેજ સ્ટાફ,વાલીગણ અને ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓના સહયોગ દ્વારા પુર્ણ કરવામા આવી હતી.



