South Gujarat

લો..બોલો.. મંડાળા ગામના આંગણવાડી કેન્દ્ર -૧ માં શૌચાલય છે પરંતુ સ્થાનિકોની બેદરકારીએ બાળકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર!!!:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

લો..બોલો.. મંડાળા ગામના આંગણવાડી કેન્દ્ર -૧ માં શૌચાલય છે પરંતુ સ્થાનિકોની બેદરકારીએ બાળકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર!!!:

છેલ્લા ૩ થી ૪ વર્ષ થી શૌચાલય બંધ હાલતમાં હોવા છતાં અધિકારીઓ કાગળ પર શૌચાલય ચાલુ બતાવતા રહ્યા:

શૌચાલયનો શોષકૂવો પણ મોતને આમંત્રણ આપી રહ્યો છે: કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ?

વર્ષ ૨૦૧૭-૧૮ માં બનેલ આંગણવાડી કેન્દ્ર માં હજુ સુધી પાણીની કોઈ સુવિધા નથી.

સર્જન વસાવા, નર્મદા : ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર – ૧ માં શૌચાલયમાં ભારે ગેરરિતી થયા હોવાનું બહાર આવ્યું છે, આંગણવાડી કેન્દ્ર -૧ માં શૌચાલય છેલ્લા છેલ્લા ૩-૪ વર્ષથી બંધ હાલતમાં છે જેના કારણે આંગણવાડીના બાળકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે, આ કેન્દ્રમાં આવેલ સોષકુવો પણ પુરાઈ ગયો છે, અને જર્જરિત હાલતમાં છે ,જ્યાં પણ હાલ કોઈ સેફ્ટી માટે વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી કોઈ નાની મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા રહ્યા છે?, અને મહત્વની વાત એ કે આ શૌચાલય છેલ્લા ૩-૪ વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં જવાબદાર અધિકારીઓ કાગળ પર શૌચાલય ચાલુ હાલતમાં બતાવતા રહ્યા.

વર્ષ ૨૦૧૭-૧૮ માં બનાવવામાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં આજ સુધી પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેનાં કારણે આંગણવાડી કાર્યકર બહેનોને બહાર પાણી લેવા માટે જવું પડે છે, તેમજ કેન્દ્રમાં નળ મૂકવામાં આવ્યા છે, જે પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. હવે જોવું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ આ બાબતે શું કાર્યવાહી કરે છે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button