Dang

વઘઈના ભેંડમાળ ગામે પાણીની સમસ્યાથી પીડાતા ગ્રામવાસીઓ, પાણી પુરવઠા વિભાગનાં ઉદાસ વલણથી લોકોમાં નારાજગી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વઘઈના ભેંડમાળ ગામે પાણીની સમસ્યાથી પીડાતા ગ્રામવાસીઓ, પાણી પુરવઠા વિભાગનાં ઉદાસ વલણથી લોકોમાં નારાજગી

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ભેંડમાળ ગામના લોકોનું પાણીના અભાવે જનજીવન ત્રસ્ત બન્યું કહેવું છે. સમસ્યાનુ નિવારણ પણ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી જેથી લોકોમાં તંત્ર ઉપર નારાજગી ઠાલવતા જોવા મળી રહ્યા છે. ગામમાં પાણીના નળ તો લગાવી ગયા છે. ત્યારથી લઈને આજ દિન સુધી એ નળોમાં પાણી જ નથી.

કોઈ જવાબદાર અધિકારીઓએ પણ તપાસ કરી નથી. કે નળ તો લગાવી દીધા છે. પણ એમાં પાણી આવે કે નહિ તે તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જ જાણે..!

ભેંડમાળ ગામના લોકો દૂર કુવામાંથી પાણી ભરીને ઘરે લાવતા હોય છે. ત્યારે જોવાનું એ છે કે જો આખું ગામ એ કુવામાંથી પાણી લાવશે તો આવતા સમયમાં કૂવામાં પાણી રહેશે ખરું?

ગામ લોકોની માંગ છે કે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ ભેંડમાળ ગામમાં પડતી પાણીની સમસ્યાને દૂર કરે હવે એ જોવાનું રહ્યું કે પાણી પુરવઠા વિભાગ આ બાબતને ધ્યાનમાં લેશ કે પછી લોકોની સમસ્યાને નજર અંદાજ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button