આહવા તાલુકાના ચિંચલી ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: રામુભાઈ માહલા
આહવા તાલુકાના ચિંચલી ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ :
કુલ- ૩૭૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો :
ડાંગ: રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ નવમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે.
ગત તા.૫ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ સુબિર તાલુકાના ‘શિંગાણા’ ગામેથી રાજ્ય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ, આહવા તાલુકાના ‘ચિંચલી’ ગામે યોજાયો હતો.
ચિંચલી ગામ સહિત મહારદર, નીમપાડા, ચીચધરા, કરાડીઆંબા, ગાઢવિહીર, હનવંતપાડા, હારપાડા, વાડયાવન, સાદડવિહિર, કમદયાવન થોરપાડા, કડમાળ, ટાંકલીપાડા, વાયદુન, વંજારધોડી, વાંઝીટેબ્રુન, કરંજડી, મોરઝીરા, મોગરા, ગડદ, માદલબારી, ડોન, મહાલપાડા, સેન્દ્રીઆંબા, પિપલધોડી, કલમવિહિર, નાંદનપેડા, ચનખલ, સુકમાળ, નીલશાકયા, પિપલ્યામાળ, ગોંડલવિહીર, ધુબીટા, ભીસ્યા, બોરખેત, ગાઢવી, દિવાનટેબ્રુન, જામલાપાડા, જામનવિહિર, ચિકટીયા, ઇસદર, ગૌર્યાં, નડગખાદી, આહવા, ધવલીદોડ, કોટબા, ઘુડા, પિંપરી, ધુલચોંડ, દાવદહાડ, અને હનવતચોંડ જેવા આસપાસના ગામોના ગ્રામજનો માટે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સરકારના વિવિધ વિભાગોની ૫૬ પ્રકારની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામા આવી હતી.
‘સેવા સેતુ’ કાર્યક્રમમા હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી) ૧૨૨૯, ડીવમીંગ ૮૭૨, કેસલેસ લીટરેસી ૧૪૧, પી,એમ.જે.મા ૧૩૭, મેડીસીન સારવાર ૩૬, રાશન કાર્ડમા નામ દાખલ કરવાની પ્રકિયા ૬૪, વિગેરે મળી કુલ ૫૬ પ્રકારની સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ ધર આંગણે મળ્યો હતો તેમજ આ તમામ સેવાઓની કુલ-૩૭૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.
ચિંચલીના ‘સેવા સેતુ’ કાર્યક્રમમા વિવિધ યોજના/સેવાની મળેલ કુલ–૩૪૦૨ અરજીઓની ડીજીટલ પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવામા આવી હતી. પરંતુ ‘સેવા સેતુ’ કાર્યક્રમ દરમિયાન વધારાની ઓફલાઇન અરજી કે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર સેવા ઉપલબ્ધ ન હોય તેવી અન્ય કુલ ૩૮૩ અરજીઓ મળી કુલ-૩૭૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, તા.૧૯ જાન્યુઆરી વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજાનાર છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત ગામોના ગ્રામજનોને મોટાપાયે આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામા આવ્યો છે.