સમસ્ત બ્રહ્મ સમાજ વાંસદા દ્વારા વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સમસ્ત બ્રહ્મ સમાજ વાંસદા દ્વારા વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો:
કમલેશ ગાંવિત, વાંસદા: સમસ્ત બ્રહ્મ સમાજ વાંસદા તાલુકાના તમામ બ્રાહ્મણ સમાજનાં ધોરણ 10 ધોરણ 12 માં અને અન્ય ફિલ્ડમાં અભ્યાસ કરતા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કરવા માટેનો એક કાર્યક્રમ વાંસદા બ્રાહ્મણ સમાજની વાડી ખાતે આજરોજ સાંજે 4:30 કલાકે રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા માં સરસ્વતીની પ્રતિમાને ફુલહાર પહેરાવી નિલેશભાઈ શાસ્ત્રી દ્વારા શ્લોકોના ઉચ્ચારણ સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માજી આચાર્ય ઘનશ્યામભાઈ વ્યાસ, પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય મહેન્દ્રભાઈ પરમાર તથા બ્રહ્મ સમાજ વાંસદાના પ્રમુખ વિરલભાઈ વ્યાસને સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો દ્વારા કલગી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને પ્રમુખ મુકેશભાઈ શર્મા તરફથી હાજર રહેલ સમાજના તમામ વ્યક્તિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, બાદમાં મહેમાન દ્વારા તથા સમાજના હોદ્દેદારો દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 અને અન્ય ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી તેઓને સન્માનિત કર્યા હતા આવેલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ વિશેની સમજ આપી ઉચ્ચ અભ્યાસ કરી સમાજ, ગામ અને દેશનું નામ રોશન કરવાનુ જણાવ્યું હતું. અંતમાં મંત્રી ધર્મેશ પુરોહિત દ્વારા પધારેલા મહેમાનો તથા સમસ્ત સમાજના માણસોના આભાર માનીને કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કર્યો હતો.