Gujarat

સી.આર. પાટીલએ ગુંડાઓની ફોજ બનાવી છે, આપના નેતા ઈશુદાન ગઢવીએ લગાવ્યા આરોપો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

ગુજરાતમાં અશાંતિનો માહોલ ઉભો થાય તેવું ભાજપ ઈચ્છી રહી છે. ભાજપ વર્ષોથી આવી જ રણનીતિ મુજબ  કામ કરી રહ્યું છે..AAP

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક અતિ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા અને સંબોધતા જણાવ્યું કે સુરતમાં ‘આપકા રાજા’ કરીને અમે જે ભગવાન ગણેશના પંડાલનું આયોજન કર્યું હતું તેનું નિરીક્ષણ કરવા માટે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા ગયા હતા. આ દરમિયાન ભાજપના ગુંડાઓએ મનોજ સોરઠીયા પર લોખંડની પાઈપોથી જીવલેણ હુમલો કર્યો હતો. મનોજભાઈ કંઈ સમજી શકે પહેલા અચાનક તેમના પર આ હુમલો કરવામાં આવ્યો અને મનોજભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ હુમલા થી ફરી એકવાર સાબિત થાય છે કે ભાજપ લુખ્ખા લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. છેલ્લા એક મહિનામાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉપર ભાજપના ગુંડાઓ દ્વારા આઠ વખત હુમલા થયા છે. વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુજરાત હંમેશા એક શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે, ગુજરાતમાં ક્યારેય પણ હિંસાને સ્થાન મળ્યું નથી. આ ગાંધી અને સરદારની ભૂમિ છે અહીંયા હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે ક્યારેય પણ હિંસા ન કરી શકીએ પરંતુ ભાજપના નેતાઓને એ ડર છે કે તેમના કરોડો રૂપિયાના કૌભાંડો ખુલ્લા ન પડી જાય એટલા માટે આમ આદમી પાર્ટીને રોકવા માટે તેઓ વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા કરી રહ્યા છે.

મને એક માહિતી મળી છે કે, સી.આર.પાટીલે ગુંડાઓની ફોજ બનાવી છે, તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ સૂચના આપી છે કે આપણા ગુંડાઓથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવવો અને તેમની હત્યાઓ કરાવો અને આ હુમલાઓથી આ વાત સાબિત થાય છે. આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને તે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા બાકી આ હત્યાનો જ પ્લાન હતો. મનોજભાઈ સોરઠીયાએ 2013થી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઊભી કરી છે. મનોજભાઈએ દિવસ રાત મહેનત કરીને ગુજરાતમાં સંગઠન ઊભું કર્યું છે. સુરતમાં જે 27 કોર્પોરેટરો મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા એનો શ્રેય પણ મનોજભાઈ સોરઠીયાને જાય છે. અને એટલા માટે જ ભાજપ જાણે છે કે મનોજભાઈ સોરઠીયા અત્યારે ગુજરાત સંગઠનમાં એક મહત્વપૂર્ણ રોલ નિભાવી રહ્યા છે. એટલા માટે તેમની હત્યા કરીને અને પાર્ટીના બીજા નેતાઓની હત્યા કરીને ગુજરાતમાં અશાંતિનો માહોલ ઉભો થાય તેવું ભાજપ ઈચ્છી રહી છે. ભાજપ વર્ષોથી આ કામ કરી રહ્યું છે.

જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં ચૂંટણીઓમાં હત્યાઓ થતી હોય છે, અહીંયા પણ સિલસિલા બંધ હત્યાઓ થઈ છે. સી.આર.  પાટીલના ગુંડાઓએ હત્યા કરી છે કારણ કે સી.આર.  પાટીલે તેમને પૂરી છૂટ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શાસન ચલાવવામાં બિલકુલ નિષ્ફળ રહ્યા છે. આજે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા એકદમ પડી ભાંગી છે, 8 પાસ ગૃહમંત્રી પાસેથી શું અપેક્ષા રાખી શકાય? તેઓ ડીજીપીને શું સૂચના આપી શકે? એટલા માટે સંપૂર્ણ કબજો સી.આર.  પાટીલે કરી લીધો છે. તેમણે બેંકો ઉઠાવી દીધી, બુટલેગરી કરી અને આવા માણસને ગુજરાત સોંપી દીધું છે તો હિંસા સિવાય બીજું શું મળે? થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો હતો પરંતુ તેની કોઈ તપાસ કરવામાં આવી નહીં. એટલા માટે હું ઈચ્છું છું કે સી.આર.  પાટીલ વિરુદ્ધ તપાસ કરવામાં આવે અને ખાસ કરીને તેમના મોબાઈલને ચેક કરવામાં આવે અને એ જાણકારી નીકાળવામાં આવે કે એમણે કોને સૂચના આપી હતી હુમલાઓ અને હત્યાઓ કરવાની. સાથે સાથે મારી એ પણ માંગણી છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે કારણ કે તેઓ ગુજરાતમાં શાસન ચલાવવા માટે જરા પણ સક્ષમ નથી.

મનોજ સોરઠીયા ગણેશજીના પંડાલની મુલાકાત લેવા ગયા હતા અને એ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ એકદમ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે. સી.આર.  પાટીલને ગુજરાતી લોકો ગમતા નથી અને એટલા માટે જ એ વારંવાર ગુજરાતી વિરુદ્ધ નિવેદનો કરી ચૂક્યા છે. સી.આર. પાટીલ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે એની સાબિતી એ છે કે થોડા દિવસ પહેલા નવસારીમાં એક મંદિર તોડવામાં આવી રહ્યું હતું અને એ મંદિર બચાવવા માટે જે માતા બહેનો કોશિશ કરી રહ્યા હતા તેમને ઢોર મારવામાં આવ્યો હતો. આ રીતે સી.આર. પાટીલ સુપર સીએમ બનીને મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને નચાવે છે અને ભાજપે અને સી.આર.પાટીલે આવનારી ચૂંટણીને લોહિયાળ બનાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.

સી.આર. પાટીલના ગુંડાઓ વારંવાર હુમલા કરે છે તો પણ તેમને કોઈ પોલીસ અધિકારી દ્વારા પકડવામાં આવ્યા નથી અને સજા અપાવવામાં આવી નથી. હું સુરત પોલીસ કમિશનર અને ડીજીપી સામે પણ સવાલ ઉઠાવુ છું અને કહું છું કે જો તમે આ ઘટનામાં સામેલ હુમલાખોરો વિરુદ્ધ યોગ્ય તપાસ અને પગલાં ન લઈ શકો અને જો કાનૂન વ્યવસ્થા ન સંભાળી શકો તો તમે પણ રાજીનામો આપી દો. તમે ટેક્સના પૈસા અમારી પાસેથી લો છો અને અમારા પૈસેથી મોટા મોટા બંગલામાં રહો છો પણ આજીજી અને તાળીઓ એ લોકો માટે પાડો છો.

આમ આદમી પાર્ટી દ્વારા જે આપકા રાજા કરીને ગણેશ મહોત્સવ ઉજવવાનું જે આયોજન કર્યું હતું તે ન થાય એ માટે સીઆર પાટીલે ષડયંત્ર રચ્યું હતું. દેશ-વિદેશમાં ગરબા ગુજરાતીઓની ઓળખ બની ગયા છે પણ સી.આર. પાટીલે ગરબાના પાસ ઉપર પણ 18% જીએસટી નખાવ્યો છે. અને ભાજપના નમાલા નેતાઓ તાળીઓ પાડીને આને વધાવી રહ્યા છે. આવા નેતાઓથી ગુજરાતની જનતાએ ચેતવાની જરૂર છે. હું સ્પષ્ટપણે માનું છું કે મનોજ સોરઠીયા ગુજરાતની જનતાનો અવાજ છે. અને એટલા માટે જ આ હુમલો મનોજ સોરઠીયા પર કે આમ આદમી પાર્ટી પર નથી થયો પરંતુ આ હુમલો ગુજરાતની જનતા પર ગુજરાતની અસ્મિતા પર અને ગુજરાતની શાંતિ પર થયો છે. આ હુમલો કરનાર સીઆર પટેલ અને એમની ગેંગ છે.

મને ભાજપના ઘણા નેતાઓએ જણાવ્યું છે કે સી.આર. પાટીલે ગુંડાઓની ફોજ ઉતારી છે જે તમારા પર અને ગોપાલ ઇટાલીયા પર પણ હુમલા કરી શકે છે. તમને મરાવવાનું કાવતરું પણ હોઈ શકે છે. ગુજરાતમાં ભાજપના લોકો પણ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની નીતિઓથી પરેશાન છે. એટલા માટે હું કહું છું કે આ ગુજરાતની જનતા પર અને ગુજરાતની અસ્મિતા પર હુમલો થયો છે અને આજે  મનોજ સોરઠીયા ઉપર હુમલો થયો છે કાલે તમે વિરોધ કરશો તો તમારી ઉપર  હુમલો થશે. ભાજપ અત્યારે ભાજપ આમ આદમી પાર્ટીના નાના નાના કાર્યક્રમ કરવા માટે પણ મંજૂરી નથી આપી રહી. જો તમે 27 વર્ષમાં વિકાસ કર્યો હોય અને તમારામાં તાકાત હોય વિકાસના નામે મત માગવાનો તો હિંસા શું કામ કરો છો? તો આમ આદમી પાર્ટીના કામમાં રોડા શું કામ નાખો છો? મારે ગુજરાતની જનતાથી વિનંતી છે કે તમે તેમના ઉપર વિડીયો બનાવો કે સી.આર.પાટીલ બીજા રાજ્યમાંથી આવીને ગુજરાતીઓ ઉપર રાજ કરવા માંગે છે. અને ગુજરાતીઓની હત્યા કરવા માંગે છે તથા બેસામપણે હિંસક પ્રવૃત્તિ કરે છે.  હું પ્રધાનમંત્રી ને અપીલ કરીશ કે ટ્વિટ કરે, કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી ચાલી રહી. ભલે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી છે પરંતુ જો એ લઠ્ઠાકાંડની જેમ મૌન રહ્યા તો એ સાખી નહી લેવાય.

ભાજપએ ષડયંત્ર કર્યું કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ અને આમ આદમી પાર્ટીની સરકાર ન બનવાનો મતલબ છે કે શિક્ષણ સારું ન થઈ શકે, દવાખાનાઓ ન બની શકે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ન બની શકે, એક એક ગરીબને ત્રણસો યુનિટ મફત વીજળી મળવાની છે તે ન મળી શકે એ માટેનું ષડયંત્ર ભાજપે પ્લાન કર્યું છે. આ હુમલો આમ આદમી પાર્ટી કરતા વધારે આમ જનતા ઉપર હુમલો છે. ભાજપને મોટા ઉદ્યોગપતિઓનું બેફામ ફંડ મળી રહ્યું છે અને એટલા માટે અત્યારે ભાજપ બેફામપણે ખર્ચા કરી રહ્યું છે, છતાં પણ આમ જનતા છે જે ભાજપની રેલીઓમાં જોવા નથી મળી રહી. મારી ગુજરાતની જનતાથી અપીલ છે કે ભલે તમે રસ્તા ઉપર ન આવી શકો પણ સોશિયલ મીડિયા પર આવો અને ભાજપની નીતિને વખોડો, વિપક્ષને પણ આ વિનંતી છે કે તમે પણ આ હુમલાને વખોડો, નરેન્દ્ર મોદીજીથી મારી વિનંતી છે કે તેઓ ગુજરાતની કાનૂન વ્યવસ્થા પર મૌન તોડે.

આ હુમલો એક એક ગુજરાતી ઉપર છે જે સી.આર.પાટીલે કરાવેલો છે. આ હુમલાનો જવાબ આપણે ચૂંટણીમાં આપવાનો છે. સી.આર.પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતની જનતાની શું તાકાત છે. સી.આર.પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતી ઉપર કે ગુજરાતની સંસ્કૃતિ ઉપર જે અસાધ્ય ફેલાવવાનું ષડયંત્ર તેમણે કર્યું છે તેનો જવાબ ગુજરાતની જનતા ચૂંટણીમાં આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button