Dang

સુબિર તાલુકાના ‘જારસોળ અને પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના’ની સમિક્ષા હાથ ધરતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સુબિર તાલુકાના ‘જારસોળ અને પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના’ની સમિક્ષા હાથ ધરતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ:

પાણીનો વ્યય અટકાંવવા સાથે લક્ષીત દરેક ગામના લોકોને પિવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે અધિકારીઓને સુચના:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે.

તારીખ ૨૬ એપ્રિલના રોજ સુબિર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ જારસોળ,પોળસમાળ અને કાકડવિહીર ગામે વિધાનસભા નાયબ દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે પાણી પુરવઠા જુથ યોજનાઓની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામા હાલ પાણીની તંગી વર્તાઇ રહેલ છે ત્યારે લક્ષિત લાભાર્થીઓને પાણી પુરવઠા વિભાગની જુથ યોજનાઓથી પુરતું પીવાનું પાણી મળી રહે તે આવશ્યક છે અને જો ઇજારાદાર પોતાની ફરજ ના નિભાવતાં હોય તો તેઓ સામે કડક પગલાં લેવા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

પોળસમાળ જુથ યોજનામા ૧૮ ગામોને પાણી આપવાની યોજના છે ત્યારે અહિં કેટલાં ગામોને પાણી પહોચે છે તેની સમિક્ષા કરી શ્રી વિજયભાઇ પટેલે ડેમ અને સંપની જાત મુલાકાત લઇ યોજના અંગે સંપુર્ણ જાણકારી મેળવી હતી. સરકારના પાણી પુરવઠા વિભાગની યોજનાઓ દ્વારા લોકોને પાણી મળી રહે તે ખુબ જ જરૂરી છે. જેથી પાઇપલાઇનમાં લિકેજ વિગેરે ત્વરિત કરી દેવામાં આવે અને સમયસર લોકોને પાણી પહોચાડવામાં આવે તે ખુબ જ જરૂરી છે તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુબીર તાલુકાના ૨૩ ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોવાથી કુલ ચાર યોજનાઓ પોળસમાળ, પિપલદહાડ, જારસોલ અને સુબિર જુથ પાણી પુરવઠા સુધારણા યોજના માટે ૧૮ હયાત ગામો (૪ ગામો પોળસમાળ, ૧૦ ગામો પિપલદહાડ, ૪ ગામો જારસોલ અને ૧ ગામ સુબિર જુથ પાણી પુરવઠામાં સમાવિષ્ટ કરેલ છે) અને ૫ નવીન ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યાં હતાં.

તાંત્રિક ચકાસણી સમિતિએ આપેલ નિર્દેશ અનુસાર મહત્તમ ૮મી ઉંચાઇનો બંધ આધરિત માથાદીઠ ૭૦ લિટર પાણી આપવાનુ આયોજન કરવા સુચન આપેલ જેથી હાલમાં સદર યોજનામાં પોલસમાળ સુધારણા જુથ પાણી પુરવઠામા ૨૩ ને બદલે ૧૮ ગામો આવરી લેવાનુ પ્રસ્તાવિત કરેલ છે.

૧૮ ગામોની વર્ષ-૨૦૧૧ સેન્સસ મુજબ કુલ વસ્તી ૮૨૧૬ અને ૨૦૧૯ માટે ૮૮૭૨ માણસોની વસ્તી તથા ભવિષ્યના ૨૦૪૯ સુધીના કાર્યકાળ સારૂ આશરે ૧૪૧૯૫ ની વસ્તી માટે અંદાજે ૦.૯૯૨ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત રહેશે. સ્ત્રોત માટે હાલ ૧૨ મી ઉંચાઇનો એક બંધ બાંધવાની દરખાસ્ત હતી તેને બદલે ૮મી ઉંચાઇનો એક બંધ પ્રસ્તાવિત કરેલ છે. જેનાથી ૧.૦૨ એમ.એલ.ડી. પાણી મળી રહેશે. આમ જરૂરિયાત પૂરતુ પાણી મળી રહેશે. તાંત્રિક ચકાસણી સમિતિ-૧૫૪ ના સુચન અનુસાર ૧૮ ગામો માટે માથાદીઠ ૭૦ લિટર પાણી આપવા માટે આયોજન કરવામા આવેલ છે.

વધુમાં પોલસમાળ સુધારણા જુથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ ૧૮ ગામો પૈકી હયાત પોલસમાળ જુથ પાણી પુરવઠા યોજનાના ૦૩ ગામોમાં હાલમાં ચેકડેમ આધારિત યોજનાથી પીવાનું પાણી મેળવેી રહ્યાં છે. જે ચેકડેમ ૨૦૦૧-૦૨ ના વર્ષમાં બનાવવામાં આવેલ હતાં. જેમાં સીલ્ટ જમા થઇ ચેકડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા ખૂબ જ ઓછી થઇ ગયેલ છે. તેમજ પીપલદહાડ જુથ પાણી પુરવઠા યોજનાના કુલ ૧૦ ગામો તથા વ્યકિતગત પાણી પુરવઠા યોજનાના ૦૫ ગામો કુવામાંથી પાણી પુરવઠો મેળવે છે.

આ ગામોમાં કુવાઓમાં ઉનાળાની પરિસ્થિતિમાં પાણીના તળ નીચે જવાથી પાણીનો જથ્થો ઓછો થઇ જવાથી ગામોને પાણી પુરવઠો પૂરો પાડવામાં તકલીફ પડે છે. જેથી પોલસમાળ સુધારણા જુથ પાણી પુરવઠા યોજનામાં નવો ચેકડેમ બનવાથી સદર ગામોમાં પૂરતો પીવા લાયક પાણીનો જથ્થો મેળવી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button