૯મી ઓગસ્ટની ઉજવણીને લઈ સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજની બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
૯મી ઓગસ્ટની ઉજવણીને લઈ સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજની બેઠક યોજાઈ:
રીંગરોડ માન દરવાજા સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી ઉમરા એસ.એમ.સી.પાર્ટી પ્લોટ સુધી આદિવાસી પરંપરાગત નૃત્યો, સાથે વિરાટ રેલી નો રૂટ તૈયાર કરવામાં આવ્યો:
ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરતઃ ૯મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર વિશ્વ સહીત સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અગામી યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી માટે ની આખરી બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહયા હતા, સંયુકત રાષ્ટ્ર સંધ (યુનો) દ્વારા તા.૯મી ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી શાનદાર અને ભવ્ય રીતે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,
૯મી ઓગસ્ટના દિવસે સમય સવારે ૯-૦૦ વાગે માનદરવાજા ડો. આંબેડકરની પ્રતિમા પાસે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસીઓ એકત્ર થશે. ત્યાં સમાજના આગેવાનો દ્વારા પ્રકૃતિ પૂજા, પ્રતિમાને ફુલહાર પહેરાવીને રેલીનું આયોજન થયું છે. આ રેલીમાં આદિવાસી સમાજના કુલ ૧૧ જ્ઞાતિ મંડળોના સંગઠનો, ૧૬ યુવક મંડળો, ૦૭ મહિલા મંડળો સહિત ખુબ મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના બાળકો સાથે આદિવાસી સમાજની પરંપરાગત નૃત્યો સાથે ૧૦ ટ્રેકટરોમાં શહીદ બિરસા મુંડા, ડો.બાબા સાહેબ આંબેડકર જ્ઞાનદાતા, પ્રકૃતિ પૂજા, આદિવાસી વાજીંત્રો, પર્યાવરણ બચાવો, આદિવાસી સંસ્કૃતિ બચાવો આદિવાસી બચાવોના બેનરો સાથે આદિવાસી સંસ્કૃતિ નૃત્ય વાદ્યો તુર- થાળી, કાહળી નૃત્ય, રાઠવા નૃત્ય, ભીલ નૃત્ય, ઢોલ નગારા શરણાઇ જેવા તમામ વાજીત્રો સાથે રેલીમાં જોડાશે. આ રેલી રીંગરોડ, અઠવાગેટ, વનિતા વિશ્રામ, જિલ્લા સેવા સદન થઇ ઉમરા પોલીસ ચોકીની બાજુમાં આવેલ એસ.એમ.સી.ના પાર્ટી પ્લોટમાં જાહેરસભા સ્વરૂપે ફેરવાશે, જયાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
શહેરના સર્વોદયનગર સોસાયટી, ભટાર ખાતે વિશ્વ આદિવાસીની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટીંગનું આયોજન કાન્તીભાઇ કુન્બીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.
જેમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠન મંડળના પ્રતિનિધિઓ, નવયુવાનોને આદિવાસી રેલીની જવાબદારીઓ સોપવામાં આવી હતી. આ રેલીને આનુષાંગિક તમામ સાધન સામગ્રી સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સુરત શહેરમાં વસવાટ કરતાં તમામ આદિવાસી સમૂહો સાથે મળીને યૂનો દ્વારા ધોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ થનાર 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે સુરત આદિવાસી સમાજના અગ્રણીઓ, આગેવાનો, મંડળના પ્રતિનિધિઓ અને આદિવાસી સમાજના ભાઈ-બહેનો સદર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું પ્રેસ નોટમાં જણાવ્યું હતુ.