ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા જયાબેન મોદી હૉસ્પિટલ ને એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા જયાબેન મોદી હૉસ્પિટલ ને એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન:
સર્જન વસાવા, ભરૂચ: અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપનીના અનુદાન દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું તેમની સી.એસ.આર પ્રવૃતિ હેઠળ આપવામાં આવ્યું.
એન્ડોસ્પાઇન યુનિટ અદ્યતન ટેકનિક દ્વારા મણકાના રોગો અને પીઠ દુ:ખાવાની ખુબજ સુચારૂ અને પીડારહિત સારવાર માટે આશીર્વાદ રૂપ બનશે. જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તા સભર અને અસરકારક સારવાર પ્રાપ્ત થશે.
જયાબેન મોદી હોસ્પિટલના ન્યૂરો સર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ અને નર્મદા જીલ્લામાં સર્વ પ્રથમ મગજ સંબધિત સારવાર આપવા માટે આ ઉપકરણો ગુજરાત ગાર્ડિયન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને બન્ને જીલ્લામાં એકમાત્ર એવા ન્યૂરો સર્જન ડૉ.ગોહિલે કંપનીનો આભાર માન્યો હતો.
આ કાર્યકમ માં ગુજરાત ગાર્ડિયન ના સાઇટ હેડ શ્રી ગૌરવ ચંદ્રા, HR હેડ – શ્રી યતીન છાયા , ફાઈનાન્સ હેડ શ્રી અમિત ખત્રી, પ્રોક્યુરમેન્ટ મેનેજર શ્રી જી . પી. સીંગ, મેડિકલ ઓફિસર ડૉ. ઈ . પી . શરનાયા, શ્રી રવિ જેઠવા તથા હોસ્પિટલ ના સમિતિ સભ્યશ્રી હિતેન આનંદપુરા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.
આ વિશેષ અનુદાન બદલ જયાબેન મોદી હૉસ્પિટલ દ્વારા ગુજરાત ગાર્ડિયન કંપની આભાર વ્યક્ત કરવામાં આવ્યો.