Breaking News

ભાજપ સરકાર વિરૂદ્ધ માછીમાર વિરોધી નીતી સામે મહિલા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો :

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકારની માછીમાર વિરોધની નીતિને લઇને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

પોરબંદર શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા માછીમારોના સળગતા પ્રશ્ન માટે ધરણા તથા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજના સમયે આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા સહિતના સિનીયર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને ભાજપ સરકાર વિરૂદ્ધ માછીમાર વિરોધી નીતી સામે મહિલા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જનસભા ધરણા યોજી ત્યારબાદ ખારવાવાડમાં મહારેલી યોજી હતી. 

ખારવાવાડના જૂ ફળિયામાં સભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકારની માછીમાર વિરોધની નીતિને લઇને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના સાશનમાં બોટોને લાઇફ ટાઇમ લાયસન્સ આપવામાં આવતા હતા. તે હવે દર ત્રણ વર્ષે રિન્યૂ કરવા પડે. રિન્યૂ માટેની સત્તા વેરાવળ આપેલ છે. લાયસન્સ ફી ભાજપ સરકારે અનેકગણી કરી નાખી છે. સાગરખેડૂઓને ૪ થી પ લાખ રૂપિયાનો ખર્ચ કરી દરિયામાં બોટને ફીશીંગમા મોકલતા હોય છે. પરંતુ ખરાબ હવામાનની આગાહી વખતે બોટોને ફરજિયાત પણે પાછી બોલાવવામાં આવે છે.

મહિલા કોંગ્રેસ દ્વારા માછીમારોની વિવિધ સમસ્યાને લઇને ખારવાવાડના જૂ ફળિયામાં સભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકારની માછીમાર વિરોધની નીતિને લઇને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના સાશનમાં બોટોને લાઇફ ટાઇમ લાયસન્સ આપવામાં આવતા હતા. તે હવે દર ત્રણ વર્ષે રિન્યૂ કરવા પડે. રિન્યૂ માટેની સત્તા વેરાવળ આપેલ છે. લાયસન્સ ફી ભાજપે અનેકગણી કરી નાખી છે. સાગરખેડૂઓને ૪ થી પ લાખ રૂપિયાનો ખર્ચ કરી દરિયામાં બોટને ફીશીંગમા મોકલતા હોય છે. પરંતુ ખરાબ હવામાનની આગાહી વખતે બોટોને ફરજિયાત પણે પાછી બોલાવવામાં આવે છે. જેથી સાગરખેડૂઓને મોટુ નુકશાન જાય છે. આવા કિસ્સામાં સરકારે બોટ માલીકોને પૂરતું વળતર આપવું જોઇએ. માછીમારોને મળતું બલ્કનું ડિઝલ ૧૦૦ રૂપિયાએ પહોંચ્યું છે. તેમજ કોંગ્રેસનાં શાસનમાં પેટ્રોલ પંપ ઉપર જ ડિઝલ પર અપાતી સબસીડી બાદ કરીને માછીમારોને આપવામાં આવી હતી. તે પુન: શરૂ કરવાની માંગ થઇ રહી છે. અર્જુનભાઇ મોઢવાડીયા જયારે ધારાસભ્ય હતાં ત્યારે બંદર વિસ્તારમાં લાઇટ માટે નાંખેલ ટાવરો બંધ હાલતમાં છે. જુની એસીસી એરીયામાં કુબેર ક્રશરની બાજુનાં એરીયામાં લાઇટ ન હોવથી બોટોમાંથી ચોરીનાં બનાવો બની રહયાં છે. સાગર ખેડુ ભાઇઓની બોટો જયારે દરિયામાં આઇએમબીસી દ્વારા પકડવામાં આવે છે.  ત્યારે  તેમને સ્થળ ઉપર જ મુકત કરીને નિરાકરણ લાવવું જોઇએ તેવી પણ માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત સાગર ખેડુત ભાઇઓને પાકિસ્તાન દ્વારા જયારે બંધક બનાવવામાં આવે છે  ત્યારે ખરેખર માછીમારી કરતી બોટ હોય તો તેને સ્થળ ઉપર જ ખરાઇ કરી ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર દ્વારા એક બીજી બોટોને અને ખલાસીને મુકત કરાવી જોઇએ. મહિલા કોંગ્રેસ દ્વારા માછીમારોનાં સળગતા પ્રશ્નોને લઇને ખારવાવાડનાં ઝૂ ફળીયામાં જનસભા, ધરણા ત્યારબાદ મહારેલી સ્વરૂપે ફિશરીઝ કચેરીએ રજૂઆત કરી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button