Dang

ધવલીદોડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના મુદ્દે ટીડીઓનો વહીવટી જવાબ: અમે તપાસ કરીશું

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ધવલીદોડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના મુદ્દે ટીડીઓનો વહીવટી જવાબ: અમે તપાસ કરીશું

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લાના ધવલીદોડ ગ્રામ પંચાયતનાં ધૂડા ગામમાં થયેલા નરેગાનાં પથ્થરપાળનાં કામમાં ભ્રષ્ટાચાર બાબતે તાલુકા વિકાસ અધિકારીએ તદ્દન સરકારી જવાબ દ્વારા આશ્વાસન આપ્યું કે, અમે તપાસ કરીશું. આ અગાઉ પણ પેવર બ્લોક જેવા કામોની લોકબૂમ ઊઠી હતી. તે સમયે પણ તાલુકા વિકાસ અધિકારીએ એવો જ જવાબ આપ્યો હતો કે, અમે તપાસ કરીશું પરંતુ તપાસ ક્યારે થશે?

ડાંગ જિલ્લાના ધવલીદોડ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા કેટલા કામોમાં ભ્રષ્ટાચાર કરાયો છે તે સ્પષ્ટ આભ્રષ્ટાચારની તપાસ કરીને અમે શિક્ષાત્મક પગલાં ભરીશું તેવી માત્ર વાતો જ કરવી છે. ઉલટાનું જવાબદાર અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારને છૂપાવવા માગતા હોય તેવું સાબિત થઈ રહ્યું છે.

આ અગાઉ પણ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે ઓનલાઈન ડેટા સાથે ચેડા કરવામાં આવે છે છતાં પણ અધિકારીઓ મૌન બેઠા છે અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી કેમ…? સરકારી ડેટા સાથે ચેડા કરનાર પર કેમ હજુ સુધી કાઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.? ધવલીદોડ ગ્રામ પંચાયતનાં સરપંચથી અધિકારીઓ પણ ડરે છે એવું ચિત્ર ખંડિત થઈ રહ્યું છે.

આ અગાઉ તાલુકા વિકાસ અધિકારીએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે, ડેટા સાથે ચેડા કરનાર સામે સાત દિવસની અંદર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. તેને પણ ઘણા દિવસો થયા ગયા હજુ સુધી એનો પણ જવાબ મળેલ નથી તો શું અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે, હવે તેજ તપાસનો વિષય બનવા પામ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button