Crime

વઘઈના દાબદર (ગીરા) ગામે છુટાછેડા થયેલ પત્નીના ઘરેથી સંતાનો લઈ જવા આવેલ પતિએ કરી મારામારી:

ઘટનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ફરિયાદ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વઘઈના દાબદર (ગીરા) ગામે છુટાછેડા થયેલ પત્નીના ઘરેથી સંતાનો લઈ જવા આવેલ પતિએ કરી મારામારી:

ઘટનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ફરિયાદ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ:

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ દાબદર (ગીરા) ગામનો રહેવાસી નામે દિનેશભાઈ શુક્કરભાઈ ભડાગ્યા જેમની દિકરીને ગામનાં જ યુવક નામે વિજયભાઈ સુરેશભાઈ ચૌધરી સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી રહ્યા હતાં. પરંતુ કોઈ કારણોસર બંને વચ્ચે ગામના જ પંચો બેસીને છુટાછેડા કરાવેલ હતા. છુટાછેડા બાદ માતાના ઘરે પોતાના દીકરા દીકરી હોવાથી પિતા વિજયભાઈ લેવા ગયેલ હતા. જ્યાં થોડી નોકછોક થતાં મામલો મારામારી અને ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ દાબદર (ગીરા) ગામ ખાતે તા.12/03/2025 ના રોજે સાંજે 6:30 વાગ્યાના અરસામાં દિનેશભાઈના ઘરે તેના જમાઈ વિજયભાઈ પોતાના સંતાનોને લેવા ગયા હતા. અને વિજયભાઈ એ કહ્યું હતું કે “હું મારા બન્ને છોકરા જૈનિલ અને જીયાંશીને લેવા આવેલ છું.” તેવું કહેતા જ દિનેશભાઇએ તેના જમાઈ વિજયને કહેલ કે “તમે તમારા છોકરાઓને લઈ જા”. પોતાના છોકરાઓને લઈ જતાં વિજયભાઈ ઉશ્કેરાઈને ગુસ્સામાં તમતમતા દિનેશભાઈ સાથે તકરાર કરી ગાળો ભાંડવા લાગેલ અને બંને વચ્ચે ઝપાઝપીની ઘટના બનવા પામી હતી.

સમગ્ર બનેલ બનાવ અંગે દિનેશભાઈ ગામના જ પટેલને ઘટના સંબંધે જાણ કરવા ગયા હતા. તેવામાં યોગેશભાઈએ દિનેશભાઇને જણાવેલ કે, “જયલેભાઈની દુકાન પાસે તમારા દિકરા રોહીતભાઈને તમારા જમાઈ વિજયના પિતાજી સુરેશભાઈનાઓ માર મારે છે.” તેમ કહેતા દિનેશભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચી, પોતાના દિકરાને બચાવવાનો પ્રયાસ કરતાં હતાં. ત્યારે દિનેશભાઇને પણ માર મારવામા આવેલ હતો. અને માર મારતાં મારતાં સુરેશભાઈએ પથ્થર વડે દિનેશભાઈ તથા તેમનો દીકરો રોહિતને માથાના ભાગે પથ્થરથી મારતા ઘાયલ કર્યા હતા. તેમજ સુરેશભાઈની બંને દીકરીઓ રોહિણીબેન તથા શીતલબેને પણ ગાળા ગાળી કરી બનેલી ઘટનામાં પુરતો સાથ આપી રહી હતી.

મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઘવાતાં ઈજાઓના કારણે પીડિત દિનેશભાઈ તથા તેમના દીકરા રોહિતને  વઘઈ સરકારી દવાખાને સારવાર માટે તેમના જ પરિવારે ખસેડ્યો હતો. જે સમગ્ર બનેલ ઘટના બાબતે પીડિત દિનેશભાઇએ 6 આરોપીઓ (૧) વિજયભાઈ સુરેશભાઈ ચૌધરી (૨) સુરેશભાઈ શિવાભાઈ ચૌધરી (૩) રાજેન્દ્રભાઈ સુરેશભાઈ ચૌધરી (૪) રમિબેન સુરેશભાઈ ચૌધરી (૫) રોહિણીબેન સુરેશભાઈ ચૌધરી (૬) શિતલબેન સુરેશભાઈ ચૌધરી (તમામ રહે, ગામ. ગીરા, તાલુકો. વઘઈ જિલ્લો. ડાંગ)  નાઓ વિરૂદ્ધ વઘઈ પોલીસ ચોકીએ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે.

બનેલ ઘટના સંબંધિત વઘઈ પોલીસ ચોકીના હેંડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પાડુંભાઈ ગાંગોડા દ્વારા બી.એન.એસની કલમ 125(a), 352, 54, 115(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની બનતી કાર્યવાહી હાથ ધરી છે‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button