કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણ ગુજરાતના યાત્રાધામ ઉનાઈ ખાતે થી ગૌરવ યાત્રાનો આરંભ કરાવશે :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આગામી 13 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દક્ષિણ ગુજરાતના યાત્રાધામ ઉનાઈ ખાતે ગૌરવ યાત્રાના શ્રી ગણેશ કરશે, તેના ભાગરૂપે ડાંગ ભાજપ સંગઠન ની અગત્યની બેઠક આહવા ના ટીમ્બર હોલ ખાતે યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભા ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ પાર્ટી દ્વારા 13 તારીખે યાત્રાધામ ઉનાઈ ખાતે થી પ્રસ્થાન થનાર આદિવાસી વિકાસ યાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રા ના આયોજન માટે ડાંગ ભાજપ કાર્યકર્તાઓમા જુસ્સો વધી જવા પામ્યો છે. આહવા ખાતેની ટીમ્બર હોલ ખાતે દક્ષિણ ગુજરાત ચૂંટણી સંયોજક અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, અને સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી અગત્યની બેઠકમાં દેશના લોકપ્રિય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ સાહેબની ગૌરવ યાત્રા ને સફળ બનાવવા અંગે વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવિત, બાંધકામ અધ્યક્ષ ચંદર ગાંવિત, મહામંત્રીઓ રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ ગાંવિત, હરિરામ સાવંત, પૂર્વ પ્રમુખો દિલીપભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, બાબુભાઇ ચોર્યા, આહવા તાલુકા પ્રમુખ કમળા રાઉત, વઘઇ તાલુકા પ્રમુખ શકુંતલા પવાર, સુબીર તાલુકા પ્રમુખ બુધુભાઈ કામડી, શહિત તાલુકા જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો, સરપંચો, વિવિધ મોરચા ના પદાધિકારી ઓ સહીત કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌરવ યાત્રા સફળ બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.