Gujarat

સેવા સેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવાનો લોકોને અનુરોધ કરતા પ્રભારી મંત્રીશ્રી કુંવરજી હળપતી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે 

સેવા સેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવાનો લોકોને અનુરોધ કરતા પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી:

સાપુતારા: રાજ્યભરમાં સેવા સેતુના નવમા તબક્કાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે શ્રેણીમાં સુબિર તાલુકાના શિંગાણા ખાતે રાજ્ય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી  કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, સેવા સેતુ સરકારનો પ્રજાલક્ષી કાર્યક્રમ છે. જેમાં સરકાર આપના દ્વારે આવે છે. સેવા સેતુમા દરેક યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે છે. આજના સેવા સેતુ કાર્યક્રમમાં કુલ ૫૬ જેટલી વિવિધ સેવાઓનો લાભ પુરા પાડવામાં આવશે. છેવાડાનો માનવી લાભથી વંચિત રહી ના જાય તે માટે સરકાર સતત ચિંતિત છે. ત્યારે જરૂરી સેવાઓનો લાભ લેવા મંત્રીશ્રીએ લોકોને અપીલ કરી હતી.

શિંગાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમના શુભારંભની સાથે ૧૩ કરોડ જેટલાં રૂપિયાના ખર્ચે વિવિધ રોડનું ખાતમુહર્ત પણ કરાયુ છે. જે સુબિર તાલુકાના લોકો માટે ખુબ જ ફાયદાકારક રહેશે, તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમ દ્વારા સરકાર આપણા દ્વારે આવે છે, ત્યારે સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પણ શ્રી પટેલે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડમાં રૂપિયા ૧૦ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર થઈ શકે છે. આજના આ સેવા સેતુ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ પણ કાઢવામાં આવે છે. આ કાર્ડ માટે આનુસંગિક પ્રમાણપત્રો પણ આ સેવા સેતુમાં ઉપલબ્ધ હોવાથી, અરજદારોને એક જ સ્થળે વિવિધ સેવાઓ મળી રહેશે. આથી સરકારના આ સેવાસેતુ કાર્યક્રમનો લોકોને વધુમાં વધુ લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા લોકોને સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો સરળતાથી મળી રહે તે માટે સેવા સેતુ જેવા વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. સુબિર તાલુકામાં બે ભાગમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં આજુબાજુના ગામના લોકોને રેશનકાર્ડમાં નામ, સુધારો અને જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે મામલતદાર કચેરીએ જવાની જરૂરિયાત રહેશે નહીં. તેમને આજે શિંગાણા ખાતેથી જ આ પ્રકારની સેવાઓ અને લાભો મળી રહેશે. તેમ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યું હતું.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રવીનાબેન ગાવિત, શિંગાણા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સુજાતાબેન પવાર, તાલુકા સદસ્ય શ્રીમતી, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી રાજુભાઈ ગામિત, શ્રી હરિરામ સાવંત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.જી.તબિયાર, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.કે.કનુજા, સુબિર મામલતદાર શ્રી આર.એમ.મકવાણા, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી પૂનમ ડામોર, તેમજ સંબંધિત વિભાગના કર્મચારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button