South Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વની ફીલ્મ કલાકાર આમીર ખાનની ઉપસ્થિતીમાં ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વની ફીલ્મ કલાકાર આમીર ખાનની ઉપસ્થિતીમાં ઉજવણી:

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી શ્રી મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન:

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ ૨ કરોડ ૪૪ લાખનો ફુટફોલ નોંધાયો:

સર્જન વસાવા, નર્મદા: દેશના ૭૬મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી શ્રી મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી.આ ખાસ અવસરે ખાસ ફિલ્મ કલાકાર શ્રી આમીર ખાન ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ખાસ દેશ-વિદેશથી પધારેલા પ્રવાસીઓ,આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં શ્રી પુરીએ ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી પુરીએ પરેડનું નિરિક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણ પત્ર આપી સન્માન કર્યુ હતુ. આ તકે શ્રી પુરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં આજના આ પાવન દિવસે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે જે આપણા સૌને ગર્વિત અને ઉત્સાહિત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતિક છે,સરદાર વલ્લભભાઇ પટેલનું ભારત દેશ માટે અનેરુ યોગદાન રહ્યુ છે, વર્ષ ૧૯૫૦મા આજના દિવસે જ ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ,વર્ષ ૧૯૪૭માં ભારત આઝાદ થયો ત્યારે નવા જન્મેલા દેશ સામે સૌથી મોટો પડકાર હતો તમામ રાજયોને એકત્ર કરવાનો અને ભાગલા બાદ અત્રે આવેલ પ્રજાનો પુન:વસવાટ કરવાનો.સરદાર પટેલ ભારત દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને પ્રથમ ગૃહ મંત્રી હતા તેઓએ પોતાના સક્રીય પ્રયત્નો થકી ટૂંકા સમયમાં જ રજવાડાઓનું ભારતમાં વિલિનિકરણ કર્યુ હતુ અને જુનાગઢ અને હૈદ્રાબાદે ભારતમાં જોડાવવા માતે સંમતી ન આપતા સરદાર પટેલ સાહેબે પોતાની આગવી મુસદ્દીગીરી અને દેશની શક્તિ વાપરી ભારતમાં જોડાણ કરાવ્યુ સરદાર પટેલના આ કાર્યોની ઉજવણી કરવા માટે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અત્રે ઉભી કરી છે.

વધુમાં શ્રી મુકેશ પુરીએ જણાવ્યુ હતુ કે,સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ એકતા નગરની આજદિન સુધી કુલ ૨ કરોડ ૪૪ લાખ ૪૫૮ નો ફુટફોલ નોંધાયો છે જે આપણા માટે ગર્વની વાત છે. વર્ષ ૨૦૨૪માં તમામ પ્રવાસીય પ્રકલ્પો પર થઇને લગભગ ૫૦ લાખ ફુટફોલ નોંધાયો છે જે નોંધપાત્ર છે. રાષ્ટ્રીય એકતા દિવસના પર્વની ઉજવણી પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી,વિભિન્ન રાજયોના મુખ્યમંત્રીશ્રીઓ,દેશના આગેવાનો અને ગણમાન્ય અતિથીઓ જેવા કે, માઇક્રોસોફ્ટના સ્થાપક એવા શ્રી બીલ ગેટસ અને ભુતાનના મહારાજા શ્રી મહામહિમ જિગ્મે વાંગચુકની સફળ મુલાકાત આપણા માટે ગર્વની લાગણી પેદા કરે છે.

આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલ સીઆઇએસસેફની કામગીરીની નોંધ લેતા જણાવ્યુ હતુ કે, એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ પોતાની સાથે લાવેલ અનેક ચીજ વસ્તુ ભુલી જતા હોય છે, ગત વર્ષે આવી સેંકડો વસ્તુઓ આપણા કર્મયોગીઓએ તેને મુળ માલીકોને પરત કરી છે, CISF દ્વારા ગત વર્ષે કુલ ૨૦ લાખ ૬ હજારનો સામાન પરત કરવામાં આવ્યો છે.

શ્રી મુકેશ પુરીએ નર્મદા મહાઆરતીનું આકર્ષણ પ્રવાસીઓમાં ખુબ રહ્યુ છે અને નર્મદા મહાઆરતી ઘાટનું પણ વિસ્તરણ કરીને હજી વધુ આકર્ષક બનાવવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

આ અવસરે નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્રીમતી દર્શનાબેન દેશમુખ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર સર્વ શ્રી નારાયણ માધુ, શ્રી ગોપાલ બામણીયા, એસઆરપીએફ ના સેનાપતી શ્રી એન્ડ્રુઝ મેકવાન અને સીઆઇએસએફના ડેપ્યુટે કમાન્ડન્ટ શ્રી અભિષેક શાહુ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button