સુબીર તાલુકાનાં ખાજુર્ણા ગામનો સબસેન્ટર સોભાના ગાંઠિયા સમાન, કર્મચારીઓની મનમાની સામે આવી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સુબીર તાલુકાનાં ખાજુર્ણા ગામનો સબસેન્ટર સોભાના ગાંઠિયા સમાન, કર્મચારીઓની મનમાની સામે આવી
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ખાજુર્ણા ગામમાં તથા અંદર આવેલા દરેક ગામોમાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓ પોતાની ફરજોનું ભાન ભૂલ્યા છે. કર્મચારીઓ પોતાના ફરજ પર હાજર રહેતા નથી જેવી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. આરોગ્યની સેવા માટે આદિવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જવાબદાર સત્તાધીશો પણ યોગ્ય પગલાં લેતા નહી. આદિવાસીઓને આરોગ્ય લક્ષી સેવાઓ માટે કેમ અન્યાય કરવામાં આવે છે. તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
લોકમુખે જાણવા મળી રહ્યું છે કે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર, જ્યારે પણ કોઈ દર્દીઓ જાય છે તો બંધ હાલતમાં જ જોવા મળે છે. તો બિમાર ગરીબ આદિવાસી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે તેના માટે જવાબદાર કોણ? આ બાબતે ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીઓને ચિંતા જ નથી? આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓને પણ કોઈ જાતની ચિંતા નથી? કે તમામ અધિકારીઓના મિલીભગતથી જ બધું કરવામાં આવે છે. તેવા સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે દર્દીઓને કર્મચારીઓ નજરે પડે તો પણ પૂરતી સુવિધા મળતી મળતી નથી તેવા આરોપો લાગી રહ્યાં છે. ત્યારે આ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો વર્તમાન સમયમાં મ્યુઝિયમ સમાન નજરે પડતાં હોય તેમ જોવા મળી રહ્યા છે.
ખાજુર્ણા ગામના સબસેન્ટર પર સમયનો બોર્ડ તો મારેલો છે. પણ કર્મચારીઓ જ તેનું પાલન કરતા નથી અને ડાંગની આદિવાસી પ્રજાને આરોગ્ય લક્ષી સેવાઓ માટે પરેશાન થવું પડે છે. ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવશે ખરી..? અને ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાને સારી આરોગ્યની સુવિધા મળશે કે કેમ તે હવે આગળનો સમય સાથે જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાધીશોને જ સમર્પિત.