ડાંગ જિલ્લામા ગણેશોત્સવ અને ઇદ-એ-મિલાદના તહેવારને અનુલક્ષીને તા.૧૭ સપ્ટેમ્બર સુધી સભા સરઘસબંધી :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામા ગણેશોત્સવ અને ઇદ-એ-મિલાદના તહેવારને અનુલક્ષીને તા.૧૭ સપ્ટેમ્બર સુધી સભા સરઘસબંધી :
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામા તારીખ ૭ થી ૧૭ સપ્ટેમ્બર સુધી ઉજવવામા આવી રહેલા ગણેશોત્સવ તેમજ તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ ઉજવાનાર ઇદ-એ-મિલાદના તહેવાર દરમિયાન, ડાંગ જિલ્લામા જાહેર શાંતિ, અને સલામતી જાળવવા સારુ સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામા આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની જોગવાઇઓ અને અન્વયે, ડાંગ જિલ્લામા તા. ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઈ પણ સભા કરવી કે બોલાવવી, સરઘસ કાઢવુ કે દેખાવ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ ફરજ પરના સરકારી નોકરી અથવા રોજગારમા હોય તેવી વ્યક્તિઓ, કોઇ લગ્નનો વરઘોડો, સ્મશાન યાત્રા, મંદિર, મસ્જિદ અથવા દેવળમા પ્રાર્થના કરવા જતા બોનોફાઇડ વ્યકતિઓ, અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ કિસ્સામા જેમને પરવાનગી આપવામા આવી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહી.
આ જાહેરનામુ આગામી તા. ૧૭/૯/૨૦૨૪ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમા રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ–૨૨૩ અનુસાર સજાને પાત્ર થશે. આ માટે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીના તમામ અધિકારીઓને, આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામા આવ્યા છે.