South Gujarat

ચાસવડ આશ્રમશાળામાં બાળકોને સાંસદે બાળકોને પ્રવેશોત્સવ અપાવ્યો:

સાસંદે બાળકોને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો અને સ્કુલબેગ આપીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

ચાસવડ આશ્રમશાળામાં બાળકોને સાંસદે બાળકોને પ્રવેશોત્સવ અપાવ્યો:

 નવનિર્માણ પામી રહેલા પ્રધાનમંત્રી આવાસોનું સાંસદ મનસુખભાઇ વસાવાએ જાત  નિરીક્ષણ કર્યું:

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના દેશની પ્રથમ કસ્તુરબા સેવાશ્રમ સંચાલીત ચાસવડ આશ્રમશાળાના શાંતિવષૉ નિકેતન પ્રાથઁનાગૃહમાં સાસંદ મનસુખભાઇ વસાવા, પુવઁમહેસુલ મંત્રી અને ટ્રસ્ટ્રી ખુમાનસિંહ વાંસીયા અને લોકગાયક અભેસિંહ રાઠોડે અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાયૅક્રમ યોજાયો હતો. જેમાં સાસંદે બાળકોને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો અને સ્કુલબેગ આપીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

ભરૂચનર્મદા ના  સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આશ્રમશાળામાં અભ્યાસ કરતાં બાળકોની ઉજ્જવળ ભવિષ્ય અને રહેવા-જમવા સહિત તમામ સુખવડની ખુમાનસિંહ વાંસીયા ચિંતા કરે છે.તો સારૂ શિક્ષણ પ્રાત કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરો.ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યું હતું કે,દેશની નવી-જુની સંસદ ભવનમાં બેસનાર એકમાત્ર સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાય તે આનંદ વાત છે,અને આશ્રમશાળમાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ વિશે વિસ્તૃત ચચાઁ કરી હતી. લોકગાયક અભેસિંહ રાઠોડે પણ પોતાની વાત રજુ કરી હતી. ત્યારબાદ કામલીયા ગામે પ્રધાનમંત્રી આવાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું. જે દરમ્યાન નેત્રંગ તાલુકના સંગઠનના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button