ટ્રિનિટી સ્કૂલ સામે કેનાલમાં શુ કોઈ બાળક જીવ ગુમાવે દુર્ઘટના બને પછી સેફ્ટી ગાર્ડ બનાવાશે?

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,24×7 વેબ પોર્ટલ
ટ્રિનિટી સ્કૂલ સામે કેનાલમાં કોઈ બાળક જીવ ગુમાવે દુર્ઘટના બને પછી સેફ્ટી ગાર્ડ બનાવાશે?
એક ફુટ થી પણ ઓછી ઊંચાઈ ધરાવતા સેફ્ટી ગાર્ડ જેમાં કેનાલની સામે આવેલ શાળાનાં બાળકો જે અભ્યાસ કરે છે જે નાગરિકો તે રોડ ઉપરથી પસાર થાય છે અંદાજે ૧૫ થી ૨૦ ફુટ ઊંડી કેનાલ માં પાણી નું પુરજોશમાં વહેણ હોય છે તેના સેફ્ટી ગાર્ડ વિશેષ હોવા જોઈએ તેની જગ્યાએ ટ્રિનિટી સ્કૂલ ની સામે જ જાણે કોઈ દુર્ઘટના બનવા રાહ જોવામાં આવતી હોય તેમ સેફ્ટી ગાર્ડ ની સ્થિતિ જોઈ લાગી રહ્યું છે.
કોઈ માતા પિતા પોતાના સંતાનને ગુમાવે , આપણે દેશના ભાવી સમાન બાળકોને ગુમાવીએ પછી જ આપણી આંખો ખુલશે કે આમ શાળાની સામે આવેલ કેનાલ પાસે પુરતા સેફ્ટી ગાર્ડ , કેનાલ ની ચોતરફ ભુલથી પણ કોઈ પડી ના જાય તેવી વ્યવસ્થા કરીએ. કેનાલની સામે પેવર બ્લોક મારી બ્યુટિફિકેશન નામે પોતાના અંગત સ્વાર્થ અને સન્માન માટે પૈસા વેડફી શકાય પણ આ કેનાલ પાસે પુરતા સેફ્ટી ગાર્ડ ના હોય તો આવી કામગીરી નો શું અર્થ? તત્કાલ ધોરણે કમસેકમ પોતાનો અહંકાર બાજું મુકી ને તંત્ર અને ચુંટાયેલા પ્રતિનિધિઓ એ બાળકો તેમજ નાગરિકો ની ચિંતા કરી આ ટ્રિનિટી સ્કૂલ , વ્યારા સામે આવેલ કેનાલમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોયા વગર તત્કાલ કામગીરી કરવી જોઈએ , ભુલમાં પણ કોઈ યાત્રી કે ટ્રિનિટી સ્કૂલ માં અભ્યાસ માટે આવેલ કોઈ બાળક દુર્ઘટના નો શિકાર ના થાય તેમ માટે તાત્કાલિક કાર્યવાહી કરાવે તે જરૂરી છે.
આ સિવાય પણ અનેક પ્રશ્નો આ સંદર્ભે ઉજાગર કરવામાં આવનાર છે જે બાબતે અમારા સાથી મિત્રો દ્વારા વ્યારા ના શિક્ષણ વિભાગની અમે child safety બાબતે ગંભીર બેદરકારી થી માંડી પૈસાના દુર ઉપયોગ બાબતે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ૧૦૦ વાતની એક વાત ટ્રિનિટી સ્કૂલ સામે આવેલ કેનાલ પાસે તત્કાલ યોગ્ય સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે જેનાથી ટ્રિનિટી સ્કૂલ ના બાળકો , યાત્રીઓ , નાગરિકો ના જીવનું જોખમ અટકાવી શકાય.
આ બાબતે ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક વાલીઓ , નાગરિકો , કર્મશીલો , આગેવાનો સાથે વાતચીત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીલ્લા શિક્ષણ અધિકારી થી માંડી ને દરેક જવાબદાર અધિકારીઓ , પત્રકાર મિત્રો , ચુંટાયેલા પ્રતિનિધિઓ તત્કાલ સ્થળ ચકાસણી કરી યોગ્ય નિર્ણય કરાવી દુર્ઘટના થવાની રાહ જોવાનું બંધ કરે તેવી રોમેલ સુતરીયાએ માંગણી કરી હતી.