South Gujarat

ડેડીયાપાડા – સાગબારાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધમધમતા ઈંટોના ભઠ્ઠા થી પર્યાવરણ પર માઠી અસર!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા – સાગબારાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધમધમતા ઈંટોના ભઠ્ઠા થી પર્યાવરણ પર માઠી અસર!

આ ગેરકાયદેસર ધમધમતા ઈંટોના ભઠ્ઠાને પરવાનગી આપનાર અધિકારી કોણ??

ઈંટોનાં ભઠ્ઠામાં કામ કરતા મજદુરોના બાળકો શિક્ષણનાં મૂળભૂત અધકરો થી વંચિત છતાં સ્થાનિક તંત્ર મૌન;

આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ચેરમેન દ્વારા ગેરકાયદેસર ધમધમતા ઈંટોના ભઠ્ઠા પર પ્રતિબંધ મૂકવા બાબતે લેખિતમાં રજૂઆત કરાઈ હતી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ;

સર્જન વસાવા, નર્મદા: ભારતના બંધારણ 1950 અનુચ્છેદ 244 (1) એરીયા વિસ્તાર એવા ગુજરાત રાજ્યમાં આવેલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા અને સાગબારા તાલુકામાં ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે, અને પર્યાવરણ ને ભારે નુકશાન થઈ રહ્યું છે, અને આ ઈટોના ભઠ્ઠા ચલાવનારાઓ સામે સંબંધિત તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા કોઈપણ પ્રકારના પગલાઓ ભરવામાં નહિ આવતા  હોવાને કારણે ગ્રામજનોના સ્વાસ્થ્યની સાથે સાથે ખેતીના પાકને પણ ભારે નુકસાન થાવા પામ્યું છે અને પર્યાવરણ પર માઠી અસર જોવા મળે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સંસ્થા વતી સર્જનભાઇ વસાવા નાઓ  દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીને પત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, અને આ ખુલ્લેઆમ ધમધમતા ઈટોના ભઠ્ઠા ઉપર તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લઈ પ્રતિબંધ મૂકવામાં આવે તેવું રજૂઆત કરાઈ હતી, છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. અને ઈંટોના ભઠ્ઠાઓ હાલ પણ એજ હાલતમાં ધમધમી રહ્યા છે. ત્યારે હાલ સ્થાનિક અધિકારીઓની પણ મિલીભગત છે તેમ લાગી રહ્યું છે.

ડેડીયાપાડા અને સાગબારામાં રાત પડે એટલે ઈંટોના ભઠ્ઠાઓનાં પ્રદૂષણ ગામના વાતાવરણને બગાડે છે જેને કારણે રાતના સમયે ગામમાં દુર્ગંધ ફેલાય છે આ પ્રદુષણ થી લોકોનાં સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ગામની ચારે બાજુ ઈંટોના બધા જોવા મળે છે. અને મોટાભાગે આદિવાસીઓની જમીન 73AA ની છે, આ જમીનને તબદિલ કર્યા વગર વેપાર કરવામાં આવે છે, તેમજ ઈંટોના ભઠ્ઠા માટે ખાણ ખનીજની પણ મંજૂરી લેવામાં આવી નથી કે પોલ્યુશન વિભાગની પણ મંજૂરી લેવામાં આવી નથી. તો આ ઈંટોના ભઠ્ઠાઓ ચલાવવા માટે મંજૂરી કોણે આપી તે પણ એક સવાલ છે?

ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓમાં ચાલતાં ઈંટોના ભઠ્ઠાઓ પર બાળમજૂરો પણ કામ કરતા જોવા મળે છે, અને બાળકોનું શોષણ પણ થઇ રહ્યું છે, ત્યારે અહીં સરકારની સર્વ શિક્ષણ અભિયાન ના દાવાઓ ડેડીયાપાડા ને સાગબારામાં ખોટા સાબિત થઈ રહ્યા છે. અન્ય રાજ્ય માંથી મજૂરો લાવીને કામ કરાવવામાં આવે છે તેમજ પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેમજ GST વગરના બિલો આપવામાં આવે છે અને ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ બાબતે જવાબદાર વિભાગ કે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે કે તે જોવું રહ્યું?.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button