આજ થી સુરતમાં 3 દિવસીય “સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન” કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
સુરતમાં ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન’ કોન્ફરન્સ શરૂ, દેશભરમાંથી 100 સ્માર્ટ સિટીઝ જોડાયાં:
ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધા 2020ના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું; સુરત અને ઈન્દોરને શ્રેષ્ઠ શહેર તરીકે એવોર્ડ મળ્યો; ઉત્તર પ્રદેશને સમગ્ર ભારતભરમાં ” શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ મળ્યો;
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ સ્માર્ટ સિટીઝ મિશનને જન આંદોલનમાં ફેરવવા હાકલ કરી; સ્માર્ટ સિટીઝ મિશનમાં ₹90 હજાર કરોડથી વધુના મૂલ્યના લગભગ 100 ટકા સરકાર દ્વારા ભંડોળ કરાયેલા પ્રોજેક્ટ્સમાં કામ શરૂ થઈ ગયું છે:
અર્બન આઉટકમ્સ ફ્રેમવર્ક 2022, મંત્રાલયના સંકલિત ડેટા પોર્ટલ- AMPLIFI અને સ્માર્ટ સિટીઝ મિશન માટે આઉટપુટ આઉટકમ ડેશબોર્ડ સહિત અનેક પહેલનો શુભારંભ:
ત્રણ દિવસીય “સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન” કોન્ફરન્સનો આજે સુરતમાં ભવ્ય પ્રારંભ થયો હતો. સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્સવ (એકેએએમ)નાં બુલંદ આહ્વાન હેઠળ, આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), સુરત સ્માર્ટ સિટી કોર્પોરેશન ડેવલપમેન્ટ લિ. સાથે કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી મુખ્ય અતિથિ હતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયો સંદેશ દ્વારા સભાને સંબોધી હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોર, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી શ્રી વિનોદ મોરાડિયા, આંધ્ર પ્રદેશના શિક્ષણ મંત્રી ડૉ. ઓડીમુલાપુ સુરેશ, સાંસદ શ્રી સી.આર. પાટીલ, અને સુરતનાં મેયર શ્રીમતી હેમાલી કલ્પેશકુમાર બોઘાવાલાએ ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો
કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી તમામ મહત્વના શહેરી હિતધારકો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં અન્યોની સાથે, સચિવ, MoHUA શ્રી મનોજ જોષી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, શહેરોના મ્યુનિસિપલ કમિશનરો, 100 સ્માર્ટ સિટીના MD/CEO, રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓ/મિશન ડિરેક્ટોરેટ, વ્યાવસાયિકો, ઉદ્યોગના પ્રતિનિધિઓ, મીડિયા અને એકેડેમીયાના સભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 100 સ્માર્ટ સિટીઝમાં અમલમાં મૂકાઇ રહેલી કેટલીક મહત્વપૂર્ણ પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન દરમિયાન એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC) 2020 ના એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારોની જાહેરાત અગાઉ 2021 માં વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. જો કે, તે સમયે પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિને કારણે એવોર્ડ વિતરણ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. સુરત અને ઈન્દોરને બેસ્ટ સિટીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશને બેસ્ટ સ્ટેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પુરસ્કાર મેળવનારાઓની યાદી પરિશિષ્ટ I, II માં જોડાયેલ છે.
આ ઈવેન્ટમાં ‘ઇઝ ઓફ લિવિંગ’, ‘મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સ’, ‘ડેટા મેચ્યોરિટી અને ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક સહિત અર્બન આઉટકમ્સ ફ્રેમવર્ક 2022નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મંત્રાલયનું સંકલિત ડેટા પોર્ટલ AMPLIFI, જે ભારતીય શહેરો વિશે મૂલ્યવાન ડેટા પ્રદાન કરશે, એનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.વધુમાં, સ્માર્ટ સિટીઝ મિશનએ ઇવેન્ટ દરમિયાન GMISમાં આઉટકમ આઉટપુટ મેનેજમેન્ટ ફ્રેમવર્ક (OOMF) ડેશબોર્ડ સાથે એક સર્વગ્રાહી ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું હતું.
‘સ્માર્ટ સિટીઝ સ્માર્ટ અર્બનાઇઝેશન’ મેગા કોન્ક્લેવના પ્રથમ દિવસે વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, દેશભરમાંથી નોંધાયેલા 1000 થી વધુ સહભાગીઓ માટે 5 થીમ્સ જેમ કે જાહેર સ્થળોની પુન:કલ્પના, ડિજિટલ ગવર્નન્સ, ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ, ઈનોવેશન અને સ્માર્ટ ફાઈનાન્સ પર પ્રખ્યાત વક્તાઓ સાથે ઇન્ટરએક્શન તેમજ લર્નિંગ્સ ગોઠવવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સ્થળ પર પ્રદર્શિત પાંચ થીમ આધારિત પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ પાંચ થીમ્સ સ્માર્ટ સિટીઝમાં વિકસિત થઈ રહેલા શહેરી પ્રોજેક્ટ્સની વિવિધતા દર્શાવે છે.
“સ્માર્ટ સિટી મિશનમાં લગભગ તમામ સરકારી ભંડોળના પ્રોજેક્ટ્સમાં કામ શરૂ થઈ ગયું છે, અને SCM હેઠળના પ્રોજેક્ટ્સ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થશે. સ્માર્ટ સિટીઝમાંથી 80માં ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે અને બાકીના 20 આ વર્ષે 15મી ઓગસ્ટ સુધીમાં કાર્યરત થઈ જશે. સ્માર્ટ સિટીઝની પસંદગી હિતધારકો સાથે પરામર્શ દ્વારા કરવામાં આવી હતી, અને કોવિડ સંબંધિત વિક્ષેપો હોવા છતાં, મિશન હેઠળ અમલમાં મૂકાયેલા પ્રોજેક્ટ્સ સરકારી યોજનાઓમાં સૌથી ઝડપી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની સફળતાની નિર્ણયાત્મક અસર જોવા મળી રહી છે. શીખવાના અનુભવોનું આદાન-પ્રદાન, અને વધુ સારી કામગીરી કરનારાઓની કદર સ્માર્ટ સિટીઝને જન આંદોલનમાં ફેરવવામાં ઘણાં ઉપયોગી થશે. ચાલો આપણે SCM સિદ્ધિઓની પ્રતિકૃતિ કરવા માટે એક ડગલું માંડીએ, જેથી તે લોકોની કલ્પનાને આકર્ષિત કરે અને તે એક જન આંદોલન બની જાય.” :- શ્રી હરદીપ સિંહ પુરી, મંત્રી. આવાસ અને શહેરી બાબતો, ભારત સરકાર
“આજે, સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ વિકસિત થયેલા પ્રોજેક્ટ્સે આપણા શહેરોને સશક્ત બનાવ્યા છે. સ્માર્ટ સિટીઓએ માત્ર સ્વચ્છતા અને ટેકનોલોજિકલ પાસાઓ પર જ ભાર મૂકવો જોઈએ નહીં, પરંતુ લોકોને મૂળભૂત સુવિધાઓ અને રોજગારીની તકો પૂરી પાડીને તેમના સર્વાંગી વિકાસ તરફ દોરી જવું જોઈએ. તમામ સ્માર્ટ સિટીઝ આલ્કોહોલ-ફ્રી, ડ્રગ-ફ્રી અને સ્મોક-ફ્રી હોવા જોઈએ અને આખા દેશ માટે આ પ્રયાસ હોવો જોઈએ.” :-શ્રી કૌશલ કિશોર, રાજ્ય મંત્રી, આવાસ અને શહેરી બાબતો, ભારત સરકાર
“શહેરી વિકાસ એ એક વિશાળ અને જટિલ વિષય છે અને સ્માર્ટ સિટીઝ મિશન 100 સ્માર્ટ સિટીમાંઝ આ પ્રોજેક્ટ્સના વિવિધ મુદ્દાઓને સંબોધિત કરી રહ્યું છે.” :-શ્રી મનોજ જોષી, સચિવ, MoHUA