પ્રાકૃતિક ખેતી, દેશી મધ ઉછેર કેન્દ્ર, મધ ઉપચાર કેન્દ્ર વગેરેમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર ચંદ્રશિંગભાઈ છગનિયાને ડાંગ દરબારમાં સ્ટોલ માટે વંચિત રખાયા જવાબદાર કોણ…?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
પ્રાકૃતિક ખેતી, દેશી મધ ઉછેર કેન્દ્ર, મધ ઉપચાર કેન્દ્ર વગેરેમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર ચંદ્રશિંગભાઈ છગનિયાને ડાંગ દરબારમાં સ્ટોલ માટે વંચિત રખાયા જવાબદાર કોણ…?
દિનકર બંગાળ, વઘઈ : આહવા ડાંગ દરબારમાં સ્ટોલની ફાળવણીમાં મનમાનીનાં આરોપો લાગી રહ્યા છે. લગભગ ૨૭ વર્ષથી દેશી મધ, મધ ઉપચાર અને પ્રાકૃતિક ખેતી અને જડીબુટ્ટીના જાણકાર તથા સેવા મંડળી અને NGO સાથે પણ જોડાયેલા છે. શ્રી ચંદ્રસીંગભાઈ માંદાભાઈ છગનિયાને દર વર્ષે ડાંગ દરબારમાં આહવા ખાતે સ્ટોલ મળતું હતું. જેમાં દેશી મધ, પ્રાકૃતિક ખેતીનું અનાજ વગેરેનું વેચાણ કરતા હતા.
સમગ્ર ડાંગમાં એકમાત્ર વ્યક્તિ કે જે દેશી મધ ઉછેર કેન્દ્ર, રાવણ બિલા અને વિદારી કંદ વિષેની બાપ દાદાથી જાણકારી ધરાવે છે. જેની માહિતી લોકો સુધી પોંહચાડી લોકોને સજાગ કરતા હતા. તેમ છતાં પણ આ વ્યક્તિને વર્ષ ૨૦૨૪ ના હાલનાં ડાંગ દરબારમાં દુકાન માટે જગ્યા ના ફાળવતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ગ્રામ વિકાસ એજન્સી કે TSP દ્વારા આ વ્યક્તિને સ્ટોલ બાબતે જાણ પણ કરવામાં આવ્યું નથી. જેથી જિલ્લા તંત્રની બેદરકારીના કારણે આ વ્યક્તિ એ પત્રકારો સાથે ચર્ચા વખતે દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઉપરોક્ત બાબતે ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને TSP આહવા દ્વારા તાત્કાલિક ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે.