Dang

આહવા આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે ૨૯ ઓગસ્ટે રોજગાર ભરતી મેળો યોજાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

આહવા આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે ૨૯ ઓગસ્ટે રોજગાર ભરતી મેળો યોજાશે:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે તારીખ ૨૯ ઓગસ્ટના રોજ આહવા આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી આહવા-ડાંગ દ્વારા કરવામાં આવેલ છે.

જેમાં ધોરણ ૧૦, ૧૨ પાસ/ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઇ. લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગારવાંચ્છુ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.

આ રોજગાર ભરતી મેળામાં સાહિબા પ્લેસમેન્ટ એજન્સી/વેલસ્પન મોર્યા, વાપી/કોનીકા પ્લાસ્ટિક કંપની, સુરત/બાસવાડા સીન્થેક્સ, સુરત/હોટેલ એસોસિયેશન, સાપુતારા/સાયબર સ્પેશીફીક, સેલવાસ જેવી કંપનીઓ ટ્રેઈની, હેલ્પર, વોચમેન અને સીવણકામ માટે ભરતીઓ કરશે.

આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ ખર્ચે ઇન્ટરવ્યુ માં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુ માં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. તેમજ વધુ માહિતી માટે વેબસાઈટ www.anubandham.gujarat.gov.in અને સંપર્ક માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૯૩ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી આહવા-ડાંગની એક અખબારી યાદિમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button