યાલ-બીતાડાનો પુલ આ ચોમાસામાં ત્રીજી વખત તૂટી જતા અધિકારીઓ માથું ખંજવાળતા થઈ ગયા:
આજે ફરી એકવાર બ્રિજ તૂટી જતાં સ્થાનિકોને 30 થી 35.કિમી વધારે ફરીને જવું પડશે અથવા જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડશે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
યાલ-બીતાડાનો પુલ આ ચોમાસામાં ત્રીજી વખત તૂટી જતા અધિકારીઓ માથું ખંજવાળતા થઈ ગયા:
આજે ફરી એકવાર બ્રિજ તૂટી જતાં સ્થાનિકોને 30 થી 35.કિમી વધારે ફરીને જવું પડશે અથવા જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડશે
સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ પડતાં રસ્તાઓના ધોવાણ થયા હતા. ગત જુલાઇ મહિનામાં કરજણ નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાતા મોવીથી ડેડીયાપાડા જતા યાલ-બીતાડા ગામ નજીક એક જૂનો બ્રિજ નદીમાં પાણીના પ્રવાહ વધતા તૂટી ગયો તેના ત્રણ ટુકડા થઈ ગયા હતા. જેને કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અને નેત્રંગ રોડ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, મુવીથી ડેડીયાપાડા જતા આજુબાજુના કેટલાક ગામોના ગ્રામજનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ નાડું તૂટવાને કારણે સ્થાનિકોને 30 થી 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો હતો જેના માટે આ ફેરો ફરવા નહિ ઈચ્છતા લોકો નદીના પાણીમાં ઉતરીને કે બાઈક પસાર કરીને સામે કિનારે જઈને મોવી પહોચી રાજપીપળા તરફ જતા હતા, ઘરનો જીવન જરૂરી સામાન લેવા સ્કૂલ કોલેજમાં જવા સ્થાનિક લોકો જીવના જોખમે આ નદી પસાર કરીને જઈ રહ્યા હતા, એ ક્યારેક જીવલેણ સાબિત થાય એમ હતું. ત્યારે સ્થાનિકોની માંગ અને જરૂરિયાતને ધ્યાને રાખી તંત્ર દ્વારા તૂટેલા પુલ પર કામગીરી કરી કામ ચલાઉ પુલ તૈયાર કરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. પરંતુ આ કામ ચલાઉ પુલ વરસાદના કારણે બીજીવાર તૂટી ગયો હતો ત્યારબાદ ફરી કામ ચલાઉ પુલ બનાવ્યો પરંતુ એ પણ આજે ભારે વરસાદના કારણે ત્રીજી વખત તૂટી જતા તંત્રના અધિકારીઓ પણ હવે શું કરવુ એ વિચારીમાંથી ખંજવાળતા રહી ગયા હતા.