સાપુતારામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતાં બાઈક રાઇડર્સ, પ્રવાસીઓમાં અકસ્માતનો ભય: વહીવટીતંત્ર નિંદ્રામાં

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતાં બાઈક રાઇડર્સ, પ્રવાસીઓમાં અકસ્માતનો ભય: વહીવટીતંત્ર નિંદ્રામાં
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વ 2024 ચાલી રહ્યો છે. જેથી સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ પણ વધારે જોવા મળતી હોય. તેવામાં સાપુતારામા બાઇકર્સ બેફામ રીતે બાઈક હંકારી સ્ટંટ કરી, અન્ય રાહદારીઓ અને પ્રવાસીઓના જીવ જોખમમાં મુક્તા હોવાનું જાણવા મળ્યુ છે.
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યનો એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શહેરી પ્રવાસીઓ શાંતી અને પ્રકૃતિનાં ખોળે શાન્તિ અને હળવાસની પળો માણવા માટે આવતા હોય છે. જેને કારણે શનિ અને રવિના દિવસોમાં ખૂબ જ ભીડ સાપુતારા ખાતે રહેતી હોય છે. તેવામાં કેટલાંક અસામાજિક તત્ત્વો બેફામ બાઈક રાઇડિંગ કરી સ્ટંટ કરી સાપુતારાની ઇમેજ બગાડવાનો અને પ્રવાસીઓના જીવ જોખમમાં મુકવાના પ્રયાસ કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓ બાઈક રાઈડર્સના ઘોંઘાટથી ત્રાસી ઊઠ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
સાપુતારાના સર્પગંગા તળાવ બ્રિજ ઉપર અને હેલિપેડ વિસ્તારમાં મોટી સંખ્યામાં બાઈક રાઈડર્સ સ્ટંટ અને ઘોંઘાટ કરી કાયદા અને વ્યવસ્થાની ધજિયા ઉડાવી રહ્યા છે. ત્યારે સાપુતારા પોલીસ આવા બાઈક રાઈડર્સ સામે આકરા પગલાં લે એ જરૂરી બન્યું છે.
સાપુતારા ખાતે આવેલ સાઈ મંદિરે દર્શન કરવા આવતા સાંઈ ભક્તોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમ જાણવા મળી રહ્યું છે. સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓ સાઈ બજારમાં નાસ્તા અને ભોજન માટે આવતા હોય છે અને નજીકમાં જ હેલિપેડ વિસ્તાર પાસે મંદિર પણ આવેલું છે. જ્યાં ભક્તો દર્શનાર્થે આવતા હોય. ત્યારે હેલિપેડ વિસ્તારમાં અગાઉ રાખવામાં આવેલો ગેટ તોડી નાંખવામાં આવતા બાઈક રાઇડર્સને જાણે સ્ટંટ કરવા માટે મોકળું મેદાન મળ્યું હોય એ રીતે ખુલ્લેઆમ સ્ટંટ કરી પ્રવાસીઓ અને સાંઈ ભક્તોના જીવ જોખમમાં મુકવાનુ કામ કરી રહ્યા છે.