South Gujarat

બારીપાડામાં ગેરકાયદે રિસોર્ટ અંગે એફઆઇઆર બાદ સીલ મારવાની તસ્દી નહિ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

બારીપાડામાં ગેરકાયદે રિસોર્ટ અંગે એફઆઇઆર બાદ સીલ મારવાની તસ્દી નહિ

દિનકર બંગાળ, વઘઈ: બારીપાડાઅધિકારીઓની મીલીભગત,બિનખેતી પરવાનગી આપતો કલેકટરશ્રીનો આદેશપત્ર ડુપ્લીકેટ નીકળતા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. બારીપાડા રિસોર્ટની કામગીરીમાં અધિકારીઓના આશીર્વાદ હોવાથી જ ગેરકાયદેસર રિસોર્ટ બન્યો હોવાની સાથે શંકાની સોય અધિકારીઓ પર ઉઠવા પામ્યા છે. અધિકારીઓની બેદરકારીના કારણે જીએસટીની ચોરી ઉપરાંત સરકારી તિજારીને લાખ્ખો રૂપિયાનો ચૂનો ચોપાડ્યો હોવાનું જાણવા મળ્યું છે .

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ સાપુતારા વઘઈ માર્ગને અડીને આવેલ બારીપાડા ગામ ખાતેની જમીન ઉપર ગેરકાયદેસર લકઝરીયસ રિસોર્ટ અંગે FRI કર્યાં બાદ તંત્ર દ્વારા પ્રોપટીને સીલ મારવાની તસ્દી સુધ્ધા ન લેતા અધિકારીઓ તપાસિક અહેવાલ રજૂ કરી ભીનું સંકેલવાના ફિરાકમાં હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.ગેરકાયદેસર રિસોર્ટ બાબતે અધિકારીઓ તપાસનો ઢીંડોરો પીટીને તપાસમાં ભીનું સંકેલવાની પેરવી ચાલતી હોવાની ચર્ચા ઉઠી છે. કરોડો રૂપિયાનો રિસોર્ટ બનાવવા માટે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી કાળું નાણુંને વાઇટ કરવાનો કારશો તો ઘડવામાં આવ્યો નથી ને લાખો કરોડો રૂપિયાનુ GST કરની પણ ચોરી કરવામાં આવી છે. અને સરકારની મહેસુલી તીજોરીને ચુનો લગાડવાનું કારશો કરવામાં આવ્યો હોય તેમ વ્યતીત થઈ રહ્યુ છે. રાજ્યભરમાં ગેરકાયદેસર રિસોર્ટ બાંધકામ અંગેના અહેવાલથી પડઘા પડયા પરંતુ હજી અધિકારીઓ કાર્યવાહીના નામે એફઆઇઆર નોંધાવી હાથ ઉંચા કરી દીધા હોય તેમ જણાઈ રહ્યું છે. રિસોર્ટનાં નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટીની ઉચાપત હોવા છતાં બારીપાડા રિસોર્ટની મિલ્કતને શીલ કરવામાં નથી આવી. જેથી અધિકારીઓની મીલીભગત હોવાની શંકાઓએ જોર પકડયું છે.

બારીપાડા ગામ ખાતે જે ગેરકાયદેસર રિસોર્ટ બનાવવામાં આવેલ છે. તેના પર અઘિકારીઓ દ્વારા કેમ કોઈ નક્કર પગલાં લીધા નથી. ગેરકાયદેસર રિસોર્ટના અવારનવાર અહેવાલ છાપામાં પ્રકાશિત થયાં છતા અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કે જરૂર બનતી કાર્યવાહી કરવામાં આવતી નથી. ખોટા બે નંબરીના નાણા રોકાણ કરી કોઈ કારસો તો નથી, બે નંબરી નાણાને વાઈટ કરવા માટે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. ટેન્ટ હાઉસ રિસોર્ટમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓના નાણાં રોકાણ થયું હોય બનાવટી દસ્તાવેજ સાથે કલેકટરની ખોટી સહી સિક્કા મળી આવ્યા બાદ નોંધાયેલી એફઆરઆઇમાં મોટા માથાની સંડોવણી બહાર ન આવે તે માટે રાજકીય કાવાદાવા સાથે કાયદાના ચુંગલમાંથી બચવા આકાશ-પાતાળ એક કરી રહ્યાની વિગતો જાણવા મળી હતી .

આમ બારીપાડા બહુચર્ચિત નકલી દસ્તાવેજનું ટેન્ટ રિસોર્ટમાં સંડોવાયેલ પાંચેય ઈસમો સામે તંત્ર કેવા પગલાં ભરશે તેના તરફ સૌ મીટ માંડી છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button