લો બોલો…ડેડીયાપાડા ના સામારઘાટ ગામે આંગણવાડી કેન્દ્રમાં શૌચાલય જ નથી!!!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
લો બોલો…ડેડીયાપાડા ના સામારઘાટ ગામે આંગણવાડી કેન્દ્રમાં શૌચાલય જ નથી!!!
આંગણવાડી કેન્દ્ર નું મકાન જર્જરિત થઈ ગયું: શૌચાલય ની સુવિધા બાબતે તંત્રએ શું ધ્યાન રાખ્યું? કાગળ પર શૌચાલય બતાવતા રહ્યા તે તપાસનો વિષય છે?
આંગણવાડી કેન્દ્ર ના બાળકો ખુલ્લામાં શૌચ કરતા હોવા છતાં જવાબદાર અધિકારીઓનુ મૌન;
આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં: બાળકો ખુલ્લામાં બહાર ભણવા મજબૂર બન્યા!!
આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રના બાળકોની દયનીય હાલત!!!
સર્જન વસાવા, નર્મદા: ડેડીયાપાડા ના મોરજડી ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ઠ ગામ સામરઘાટ ગામે વર્ષ 2006-07 માં બનાવવમાં આવેલ આંગણવાડી કેન્દ્ર માં શૌચાલય જ બનાવવામાં આવ્યું નથી. મીડિયાની ટીમે ગામની મુલાકાત લેતા આ ભાંડો ફૂટયો છે, આંગણવાડી કેન્દ્રના બાળકોને બહાર ઍક કાચા ઘરના ઓટલા પર બેઠેલા જોઈ મીડિયા ટીમ દ્વારા આંગણવાડી કાર્યકર તેમજ ગ્રામજનો ને સવાલ પૂછતા આ સમગ્ર હકીકત બહાર આવી છે. ત્યારે ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર આ આંગણવાડી કેન્દ્ર નું મકાન જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે, અને છેલ્લા ઘણા મહિનાઓથી બાળકો બહાર ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે, આ મકાન ને જર્જરીત જાહેર કર્યા ને ઘણો સમય થઈ ગયો હોવા છતાં તોડવામાં આવ્યું નથી અને નવા મકાન ની બાંધકામની શરૂઆત પણ કરવામાં આવી નથી, ત્યારે સ્થાનિક તંત્ર વરસાદ ની કે મુર્હૂતની રાહ જોઈ રહી છે કે તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે. એક મહિનામાં ચોમાસુ બેસી જશે ત્યારે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્ર ના બાળકોની દયનિય હાલત છે. અને આંગણવાડી ના બાળકો ક્યાં બેસી ને અભ્યાસ કરશે તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.
વર્ષ 2006-07 માં બનાવવામાં આવેલ આંગણવાડી કેન્દ્ર નું મકાન જર્જરિત થઈ ગયું ત્યાં સુધી આ મકાનમાં શૌચાલય ની સુવિધા નોહતી છતાં જવાબદાર અધિકારીઓએ મૌન રહ્યા. તો આ બાબતે સ્થાનિક તંત્રએ શું ધ્યાન રાખ્યું તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે? કે કાગળ પર શૌચાલય બતાવતા રહ્યા તે તપાસનો વિષય છે. અને શૌચાલયની ગ્રાન્ટ કોણ ખાય ગયુ તે પણ એક તપાસનો વિષય છે. અને આ જર્જરિત મકાન ને વહેલી તકે તોડીને તમામ સુવિધાઓથી સજજ નવીન આંગણવાડી કેન્દ્ર ઉભુ કરી આપવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. ત્યારે જવાબદારી અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું??.



