NATIONAL
પ્રધાનમંત્રીએ સંસદ રત્ન પુરસ્કાર 2023 મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા:
13 સાંસદો, 2 સંસદીય સમિતિઓ અને 1 "લાઈફ ટાઈમ અચીવમેન્ટ સન્માન" આપવામાં આવશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રધાનમંત્રીએ સંસદ રત્ન પુરસ્કાર 2023 મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા છે જેમને સંસદ રત્ન પુરસ્કાર 2023થી નવાજવામાં આવશે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“સાંસદ રત્ન પુરસ્કાર મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન. તેઓ તેમની સમૃદ્ધ આંતરદૃષ્ટિથી સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ કરતા રહે.”
2023 માટે સંસદ રત્ન પુરસ્કારો એનાયત કરવા બદલ પ્રતિષ્ઠિત સંસદસભ્યોને અભિનંદન. આ પુરસ્કારોની 13મી આવૃત્તિ દરમિયાન 13 સાંસદો, 2 સંસદીય સમિતિઓ અને 1 “લાઈફ ટાઈમ અચીવમેન્ટ સન્માન” આપવામાં આવશે.