Education

ગંગપૂર ખાતે શ્રીયમ એમ.પી.કાપડિયા વિદ્યામંદિર ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ગંગપૂર ખાતે શ્રીયમ એમ.પી.કાપડિયા વિદ્યામંદિર ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરાઈ:

કમલેશ ગાંવિત, વાંસદા : નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના ગંગપુર ગામે કાર્યરત ભારત સેવાશ્રમ સંઘ સંચાલીત શ્રીયમ એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ખાતે ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સરકારશ્રીના આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2023-24 અંતર્ગત કુલ 21 સાયક્લોનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .આ યોજનાનો મુખ્ય હેતુ વિધાર્થીનીઓને અભ્યાસ હેતુ અપડાઉન માં તક્લીફ નાં પડે અને સમયસર શાળાએ પહોંચી અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે આપવામાં આવે છે સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વારૂપાનંદજીનાં વરદ હસ્તે આશીર્વાદ આપી આ તમામ બાળાઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ડાયરેકટર શ્રી કિશોરભાઈ પટેલ તેમજ શાળા ના આચાર્ય શ્રી મણીલાલ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર ભાવેશ પટેલ, શાળાના તમાંમ શિક્ષકો તેમજ બાળકો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button