વઘઈ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી નહેરુ યુવા કેન્દ્ર એ હર્ષોઉલ્લાસ સાથે કરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી નહેરુ યુવા કેન્દ્ર એ હર્ષોઉલ્લાસ સાથે કરી:
દિનકર બંગાળ, વઘઈ : તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વઘઈ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીનો કાર્યક્રમ નહેરુ યુવા કેન્દ્ર આહવા ડાંગ દ્રારા ઉજવણી કરવામાં આવ્યો. વિધાલયના લગભગ ૭૭ વિધાર્થિનીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
જેમાં મુખ્ય મહેમાન તરીકે વઘઈ તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિતે, આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને બંધારણના ઘડવૈયા એવા ડૉ.બી.આર.આંબેડકર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્રારા ચલાવેલા ઝુંબેશ જેવા કે સામાજિક ભેદભાવ સામે ઝુંબેશ ચલાવનાર, સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર, બંધારણના ઘડવૈયા, અર્થભાષા અને કાયદાના પ્રકાંડ પંડિત જેવી વગેરે બાબતો વિધાર્થિનીઓ જણાવી હતી.
નહેરુ યુવા કેન્દ્ર આહવા તરફથી દર વર્ષે ઉજવવામાં આવતો ડૉ.બી.આર.આંબેડકર જયંતી કાર્યક્રમમાં બાળકોને તેમના જીવનમાં શીખવા જેવી બાબતોનો ઉદભવ થાય, તેમના વિચારો શિક્ષિત માર્ગ તરફ ઉત્સાહભેર દોરાય એવા પ્રયાસથી કસ્તુરબા ગાંધી વિધાલય વઘઈ ખાતે આ વર્ષે આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં વઘઈ મંડળ પ્રમુખશ્રી પંકજ પટેલ, જિલ્લા સંગઠનના પૂર્વ ઉપપ્રમુખ રણજીતાબેન પટેલ, મહિલા મોરચાના મહામંત્રી અરુણાબેન ધુમાડ, નહેરુ યુવા કેન્દ્રના વોલેન્ટિયર, વિધાલયના વોર્ડન તથા સ્ટાફગણ અને વિધાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.