ડેડીયાપાડામાં નકલી ડોક્ટરો પર પ્રતિબંધ મૂકવા બાબતે IHRPC દ્વારા પ્રાંત અધિકારીને કરાઈ રજૂઆત:
નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવાની આગેવાનીમા ડેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરાઈ;

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડામાં નકલી ડોક્ટરો પર પ્રતિબંધ મૂકવા બાબતે IHRPC દ્વારા પ્રાંત અધિકારીને કરાઈ રજૂઆત:
નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવાની આગેવાનીમા ડેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરાઈ;
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામડાઓમાં નકલી મેડિકલ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડનાં ચેરમેન સર્જન વસાવાની આગેવાનીમા ટીમ સાથે ડેડીયાપાડા પ્રાંત અધિકારી શ્રીને રજૂઆત કરી હતી. અને ડેડીયાપાડાના ગામડાઓમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી નકલી મેડિકલ તેમજ નકલી દવાઓ સહિત ડિગ્રી વગરના ડોક્ટરો કાર્યરત છે. આવા નકલી ડોક્ટરોના લીધે માનવજીવન ખતરામાં છે, ત્યારે મુદતવીતી દવાઓ તેમજ નક્કી દવાઓ આપી અજ્ઞાન લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, અગર જો તંત્ર આવા નકલી ડોક્ટરોને છાવરતી હોય તો ઘણા ગ્રેજ્યુએટ યુવાનોને ગામે ગામ દવાખાના ખોલી દેવાને માટે છૂટછાટ આપી દેવી જોઈએ જેથી બેરોજગારીનો પ્રશ્ન પણ હલ થઈ જાય તેવો કટાક્ષ કર્યો હતો. ત્યારે આવા નકલી ડોકટરો પર કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે જે બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમે લેખિતમાં રજૂઆત કરી છે, હવે જોવું એ રહ્યું કે આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેંડા થઈ રહ્યા છે એ બાબતે પ્રાંત અધિકારીશ્રી ડેડીયાપાડાનાઓ નકલી ડોકટરો પર લગામ લગાવે છે કે કેમ તે જોવું રહ્યું???